New Delhi, તા. ૩
અજમેરના ગરીબ નવાઝ હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં ૮૧૩મો ઉર્સ શરૂ થઈ ગયો છે. આ ખાસ અવસર પર ૪ જાન્યુઆરીએ અજમેર શરીફ દરગાહમાં આવેલી સમાધિ પર વડાપ્રધાન મોદીની ચાદર ચઢાવવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ ૧૧મી વખત અજમેર શરીફની દરગાહ પર ચાદર મોકલી છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ ૪ જાન્યુઆરીએ અજમેર આવશે જ્યાં તેઓ ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ પ્રસંગે પીએમ મોદીને ચાદર અર્પણ કરશે.
મંત્રી કિરણ રિજિજુની મુલાકાતનું સત્તાવાર શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. કિરેન રિજિજુ શુક્રવારે સવારે ૯.૩૦ કલાકે ચાદર લઈને હઝરત નિઝામુદ્દીન દરગાહ જશે. આ દરમિયાન ભાજપ લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ પણ તેમની સાથે રહેશે. નિઝામુદ્દીન દરગાહ બાદ ચાદર લઈને જતો કાફલો મહેરૌલી દરગાહ થઈને જયપુર જવા રવાના થશે. આવતીકાલે લઘુમતી બાબતોના મંત્રી માત્ર હઝરત નિઝામુદ્દીન દરગાહના કાર્યક્રમમાં જ હાજરી આપશે. આ પછી, શનિવારે તેઓ અજમેરમાં સમાધિ પર પીએમની ચાદર અર્પણ કરશે.
આ પ્રસંગે અજમેર દરગાહના ખાદિમ અને ચિશ્તી ફાઉન્ડેશનના અધ્યક્ષ હાજી સલમાન ચિશ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલ ચાદરનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલી ચાદર દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓને પ્રેમપ શાંતિપ એકતાની ભેટ છે.
મહત્ત્વપૂર્ણ છે કે, પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી ચાદર અજમેર શરીફ દરગાહ પર એવા સમયે ચઢાવવામાં આવશે જ્યારે હાલમાં જ હિન્દુ રાષ્ટ્ર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની દરગાહમાં સંકટ મોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરતી કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી પર આગામી સુનાવણી ૨૪ જાન્યુઆરીએ થશે