Ambaji,તા.૧૫
યાત્રાધામ અંબાજીમાં ઉત્તરાયણના દિવસે ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જેમાં દૂર દૂરથી ભક્તો માં અંબાના દર્શન કરવા આવ્યા હતા અને મંદિરમાં આવીને તેમણે ધન્યતા અનુભવી હતી.
મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ આજે ઉત્તરાયણના દિવસે પતંગોનો મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો દ્વારા આજે મંદિરમાં પતંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. અલગ અલગ જગ્યાએ આજે મંદિરમાં પતંગો બાંધવામાં આવી હતી. જેથી પતંગોનો શણગાર શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જાણે કે દિવાળી હોય તેવો માહોલ મંદિરમાં જોવા મળ્યો હતો. જેમાં ભક્તોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
માં અંબેના પ્રાગટ્યોત્સવને લઈને મંદિરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાત્રીના બાર વાગ્યા પહેલા અંબાજી મંદિરમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જેના જ કારણે મંદિરમાં આજે ખાસ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
દીવાડાથી માં લખીને મંદિરમાં આકર્ષણ જમાવવામાં આવ્યું હતું. સાથે જ અંબાજીના માનસરોવર કુંડ પર સાધુ સંતો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. સાથે જ માનસરોવરમાં ગંગા સ્વરૂપી આરતી પણ કરવામાં આવી હતી.