Washington, તા.15
ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધ વિરામમાં મધ્યસ્થતા કર્યાની અને વેપાર નહિં કરવાની ધમકીથી બન્ને દેશોએ તેનો સ્વીકાર કર્યાના ડોનાલ્ડ ટ્રમ્પ્નાં દાવાને ભારતે ફગાવી દીધા બાદ હવે અમેરિકી પ્રમુખનાં સુર બદલાયા છે. હવે તેઓએ એમ કહ્યું કે બન્ને દેશોને સીધી વાતચીત કરવા સુચવ્યુ છે.
અમેરિકી ગૃહવિભાગે હવે એવુ જાહેર કર્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધ વિરામનું અમેરિકાએ સ્વાગત કર્યું છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે અપ્નાવેલો શાંતિનો માર્ગ આવકારદાયક છે. પ્રાદેશીક સ્થિરતા જાળવવા બન્ને દેશોને આગ્રહ છે.
અમેરિકી પ્રમુખનુ આ મુદ્દે વલણ સ્પષ્ટ છે. તેઓ બન્ને દેશો વચ્ચે સીધી વાતચીતનો આગ્રહ કરે છે. અમેરિકા પણ આ જ સ્પષ્ટ વલણ અપ્નાવે છે. ભારતે મધ્યસ્થતાની વાત તથા ટ્રમ્પ્નાં દાવાને નકારી કાઢયા વિશે માર્કો રૂબિયોએ કહ્યું કે, મધ્યસ્થીની અટકળો વિશે કાંઈ કહેવાની જરૂર નથી.
બન્ને દેશો વચ્ચે સીધી વાતચીતનું અમેરીકી પ્રમુખનું વલણ પણ સ્પષ્ટ છે. ટ્રમ્પ શાંતિવાહક છે શાંતિનું મુલ્ય સમજે છે સાથોસાથ ડીલમેકર પણ છે.