Jamnagar,તા.21
જામનગરની એક પરિણીતાએ અમદાવાદમાં રહેતા પોતાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે પોતાને ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં દ્વારકાપુરી મંદિર પરિસરમાં રહેતી અને અમદાવાદ પરણાવેલી પૂજાબેન અપૂર્વભાઈ રાવલ નામની 27 વર્ષની પરણિત યુવતી કે જે અમદાવાદથી પોતાના માવતરે જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્ય હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ કરી હતી.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાના પતિ અપૂર્વ કનૈયાલાલ રાવલ, સાસુ દીપિકાબેન કનૈયાલાલ રાવલ અને સસરા કનૈયાલાલ શંકરલાલ રાવલ કે જેઓ પોતાને દહેજના કારણે ત્રાસ ગુજારી પોતાના માવતરેથી પૈસા લઈ આવવાની માંગણી કરીને ઘરમાંથી હાંકી કાઢી હતી. આથી તેણીએ જામનગર આવીને આ ફરિયાદ કરી છે.
ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ત્રણેય આરોપીઓ સામે દહેજ પ્રતિબંધક ધારા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.