Amreli,તા.13
ગુજરાતમાં ભાજપ સંગઠન નવરચના સમયે અમરેલીમાં સર્જાયેલા લેટરકાંડના પગલે જે રીતે પાટીદાર સમાજની દિકરીની જે ફકત ભાજપના એક આ લેટર કાંડ સર્જનાર ભાજપના જ નેતાને ત્યાં ટાઈપીસ્ટ તરીકે નોકરી કરતા હતા તેને પણ આરોપી બનાવીને મધરાતે ધરપકડ તથા સવારે તપાસના બહાને તેનો જે રીતે અન્ય આરોપીઓ સાથે વરઘોડો કઢાયો તેના ઘેરા પડઘા પછી ભાજપના તમામ નેતાઓ તથા સ્થાનિક ધારાસભ્યના ઈશારે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી હતી.
તેઓનું પણ ભેદી મૌન ભાજપ માટે આફત બની ગયુ હતુ તે સમયે ગઈકાલે અમરેલી પંથકના જ સૌથી સીનીયર નેતા અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ પત્રકારો સમક્ષ કબુલ્યુ કે પોલીસે ‘ઉતાવળ’ કરી છે અને દિકરી સાથે તેમનો વ્યવહાર યોગ્ય ન હતો તેવુ જણાવીને આ પ્રકરણથી ભાજપને જે રીતે ખાસ કરીને પાટીદાર સમાજમાં ડેમેજ થઈ રહ્યું છે.
તેમાં ‘કંટ્રોલ’ કરવાના પ્રયાસ સિવાય કશુ નહી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેઓએ નનામી પત્રિકાને એક મોટો ‘રોગ’ બની ગયો હોવાનું સ્વીકારીને ભાજપમાં આ ‘રોગ’ ઘુસી ગયો છે તે પણ આડકતરી રીતે સ્વીકારી લીધુ હતુ. વિપક્ષ તેનું કામ કરે છે તે અલગ વિષય છે પણ તેઓએ ઉમેર્યુ કે, આ ખાસ પ્રકરણને અલગ દ્રષ્ટીથી જોવાની જરૂર હતી તેની જગ્યાએ એક તરફ લઈ જવાની કોશિશ થઈ છે તેનું વિધાન કરી તપાસ પત્રકાંડની કરવાના બદલે પાટીદાર દિકરીની મધરાતે ધરપકડ, વરઘોડો, વિવાદ વિ. કોંગ્રેસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
આ મામલે ‘સીટ’ની રચના થઈ છે અને પોલીસ તેમાં કાર્યવાહી કરશે તેવું સાંસદ પરસોતમ રૂપાલાએ કુલડીમાં ગોળ ભાંગી લીધાની ચર્ચા છે. તેઓ ખુલ્લેઆમ ભાજપના જૂથવાદ અંગે પત્રકાંડ અંગે બોલ્યા નહી કે પોલીસે ‘ખોટુ’ કર્યુ છે તેવું પણ કહ્યુ નહી. ઉતાવળ શબ્દનો ઉપયોગ કર્યા છે.
કોંગ્રેસે પાટીદાર દિકરીનો મુદો ઉઠાવ્યો છે તે જાણતા હતા પણ પોતે પણ આ મુદો ઉઠાવી રહ્યા નથી તે પણ નિશ્ચિત કરી લીધું. આમ અમરેલી કાંડ પર ભાજપના સીનીયર ગણી શકાય તેવા પ્રથમ નેતા બોલ્યા હજુ ઘટનાના કેન્દ્રમાં રહેલા ધારાસભ્ય અમરેલીની જનતા સામે આવ્યા નથી તે પણ સૂચક છે. આમ વાત ત્યાંને ત્યાં જ રહી છે.