Amreli, તા.18
અમરેલી શહેરના જેસંગપરા વિસ્તારમાં ‘ધર્મજીવન હોસ્પિટલ’ નવ નિર્માણ પામેલ છે. જેમનું ઉદઘાટન આગામી તા.19ને રવિવારના રોજ રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે. આ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોગાતુર મનુષ્યની સેવા સાથે સારવાર અને સ્વાસ્થ્યનો એક વિશ્વસનીય સહારો બની શકે તેવી અદ્યતન સુવિધાઓ સાથે 100 બેડની આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું મંગલ ઉદ્ઘાટન આગામી તા.19 ના રોજ સવારે 10 વાગ્યે પૂ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી અને અનેક સંતોની ઉપસ્થિતિમાં ધર્મજીવન હોસ્પિટલનું ઉદઘાટન ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે.
આ લોકાર્પણના શુભ પ્રસંગમાં કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા બીજા રાજ્યના અન્ય મંત્રીશ્રીઓ અને રાજકીય મહાનુભાવો, સમાજશ્રેષ્ઠીઓ હાજરીમાં થનાર હોય તે માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.