Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025

    બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી

    September 8, 2025

    ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ

    September 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court
    • બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી
    • ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ
    • રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ? Last part
    • Nepal માં સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે યુવાનોનું આંદોલન બન્યું હિંસક
    • Turkey માં ફરી Earthquake ના આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિના સમાચાર નથી
    • અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે, India and Israel મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પહાડો પર મળ્યા ચાર દેહના અવશેષ: 56 વર્ષ અગાઉ મુસાફરો સાથે ક્રેશ થયું હતું Air Force plane
    રાષ્ટ્રીય

    પહાડો પર મળ્યા ચાર દેહના અવશેષ: 56 વર્ષ અગાઉ મુસાફરો સાથે ક્રેશ થયું હતું Air Force plane

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01

    56 વર્ષ પહેલા 1968માં 7 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢથી 98 મુસાફરોને લઈને ભારતીય વાયુસેનાના એક વિમાને લેહ માટે ઉડાન ભરી હતી. આ AN-12 વિમાનના પાયલટ ફ્લાઈટ લેફ્ટનન્ટ હરકેવલ સિંહ અને સ્ક્વોડ્રન લીડર પ્રાણ નાથ મલ્હોત્રા હતા. તેમની સાથે બે ક્રૂ મેમ્બર પણ વિમાનમાં સવાર હતા. જ્યારે અધવચ્ચે હવામાન ખરાબ થઈ ગયુ ત્યારે પાયલટે વિમાનને પાછું ફેરવવાનું નક્કી કર્યું. પરંતુ રોહતાંગ પાસ પર વિમાન સાથે રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. કોઈ કાટમાળ મળ્યો ન હોવાથી તમામ 102 લોકોને લાપતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. વિમાનનો કાટમાળ અને મૃતદેહોના અવશેષો દાયકાઓ સુધી બરફીલા વિસ્તારમાં દટાયેલા રહ્યા. હવે 56 વર્ષ બાદ પહાડો પરથી 4 મૃતદેહના અવશેષો મળી આવ્યા છે.

    2003માં શોધવામાં આવ્યો હતો કાટમાળ

    2003માં અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના પર્વતારોહકોએ વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. પર્વતારોહકોને એક મૃતદેહના અવશેષો પણ મળી આવ્યા હતા જેમની ઓળખ વિમાનમાં સવાર કોન્સ્ટેબલ બેલી રામ તરીકે થઈ હતી. ત્યારબાદ સેના અને ખાસ કરીને ડોગરા સ્કાઉટ્સે ઘણી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના સ્થળના દૂર્ગમ ક્ષેત્રો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે 2019 સુધીમાં માત્ર પાંચ મૃતદેહોના અવશેષો જ મળી શક્યા છે. ‘ચંદ્ર ભાગા માઉન્ટેન એક્સપેડીશન’ને હવે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા છે. જેના કારણે મૃતકોના પરિવારજનો અને દેશને નવી આશાનું કિરણ દેખાયું છે.

    ભારતના સૌથી લાંબા ઓપરેશનમાંથી એક

    આ ભારતના સૌથી લાંબા સમય સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાંથી એક છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, આ અવશેષો ભારતીય થલસેનાના ‘ડોગરા સ્કાઉટ્સ’ અને ‘તિરંગા માઉન્ટેન રેસ્ક્યૂ’ના જવાનોની સંયુક્ત ટીમે શોધ્યા છે. 7 ફેબ્રુઆરી 1968ના રોજ ચંદીગઢથી લેહ માટે ઉડાન ભર્યા બાદ ટ્વીન એન્જિન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લાપતા થઈ ગયું હતું. તેમાં 102 લોકો સવાર હતા. એક અસાધારણ ઘટનાક્રમમાં 1968માં રોહતાંગ પાસ પર ક્રેશ થયેલા AN-12 વિમાનમાંથી કર્મચારીઓના અવશેષોને મેળવવા માટે ચાલુ સર્ચ ઓપરેશન અને રેસ્ક્યુ મિશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

    કયા મુસાફરોના અવશેષ મળ્યા છે ?

    અધિકારીઓએ જણાવ્યું કે, ચારમાંથી ત્રણ મૃતદેહોના અવશેષો મલખાન સિંહ, સિપાહી નારાયણ સિંહ અને શિલ્પકાર થોમસ ચરણના છે. બાકીના અવશેષોમાંથી મળી આવેલા દસ્તાવેજો પરથી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. જો કે, અધિકારીઓએ જણાવ્યું કે, તેમના નજીકના સંબંધીઓની વિગતો મળી આવી છે. થોમસ કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના એલંથૂરનો રહેવાસી હતો. તેમણે કહ્યું કે તેમના માતા અલીમાને આ અંગે જાણ કરવામાં આવી છે. સત્તાવાર રેકોર્ડમાંથી મેળવેલા દસ્તાવેજોની મદદથી મલખાન સિંહની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. આર્મી મેડિકલ કોર્પ્સમાં ફરજ બજાવતા સિપાહી સિંહની ઓળખ સત્તાવાર દસ્તાવેજો દ્વારા કરવામાં આવી હતી.

    AN-12-Plane-Crash Indian-Air-Force Rohtang
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025
    રાષ્ટ્રીય

    બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી

    September 8, 2025
    રાષ્ટ્રીય

    ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ

    September 8, 2025
    રાષ્ટ્રીય

    કોર્ટે Adani Enterprises વિરુદ્ધ કથિત અપમાનજનક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

    September 7, 2025
    રાષ્ટ્રીય

    PM Modi પૂરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે, ૯ સપ્ટેમ્બરે ગુરદાસપુરની મુલાકાત લેશે

    September 7, 2025
    રાષ્ટ્રીય

    Tihar Jailમાં બંધ સાંસદ એન્જિનિયર Rashid ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરી શકશે

    September 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025

    બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી

    September 8, 2025

    ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ

    September 8, 2025

    રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે

    September 8, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ? Last part

    September 8, 2025

    Nepal માં સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે યુવાનોનું આંદોલન બન્યું હિંસક

    September 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025

    બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી

    September 8, 2025

    ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ

    September 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.