Vijayawadaતા.7
દેશમાં કામના કલાકો વિશે ભિન્ન મંતવ્યો સાથે ચર્ચા થઈ રહી છે. તેવા સમયે આંધ્રપ્રદેશ સરકારે દૈનિક કામના કલાક 9 થી વધારીને 10 કરવાનો નિર્ણય લીધો છે. આ માટે શ્રમ કાયદામાં સુધારો કરાશે. ખાનગી પેઢી-ફેકટરીઓમાં ફરજીયાત-ન્યુનતમ 9 ને બદલે 10 કલાક કામ કરવુ પડશે.
રાજયમાં ઔદ્યોગિક વિકાસ તથા રોકાણ આકર્ષવા આ નિર્ણય લેવાયો છે. પરંતુ કામદાર સંગઠને એ જોરદાર વિરોધ કર્યો છે. કામદારો ગુલામીની દશામાં આવી જવાની ચેતવણી આપી છે.
રાજયમાં અગાઉ ફરજીયાત 8 કલાક કામની નીતી હતી દશકા પુર્વે તે વધારીને 9 કલાક કરાયા હતા. હવે ચંદ્રાબાબુ નાયડુ સરકારે તે વધારીને 10 કલાક કર્યા છે. કેબીનેટ બેઠકમાં શ્રમ કાયદાનાં સુધારાને મંજૂરી આપી હતી.
સરકારનાં આ નિર્ણય સામે મજુર સંગઠનો વિફર્યા છે. મોટા ઉદ્યોગોનાં લાભમાં આ નિર્ણય લેવાયો છે અને તેમાં કામદારો ગુલામ બની જશે. કેન્દ્ર સરકારનાં શ્રમ કાયદા સુધારા સામે દેશભરનાં કામદારોની 9 જુલાઈએ હડતાળ જાહેર થઈ જ છે તેવા સમયે નાયડુ સરકારનો નિર્ણય કમનસીબ છે. અડધા કલાકનાં બ્રેક તથા અન્ય પાસા ચકાસાયા કામદારોનો 12 કલાકનો સમય નોકરીમાં જ વિતશે.
નાયડુ સરકારે અન્ય નિર્ણય પણ લીધા તેમાં મહિલાઓને નાઈટ શીફટની છુટ આપવામાં આવી છે.આ ઉપરાંત ઓવરટાઈમનો સમય 75 કલાકથી વધારી 14 કલાક કરાયો છે.અર્થાત 144 કલાકથી વધુ કામ કરવુ પડે તો જ ઓવરટાઈમ વેતન ભથ્થુ મેળવવા હકકદાર બનશે.