Mumbai,તા,23
સુપરહિટ ટીવી-સીરીયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રોય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે.
જો કે અલિશાને એના વિશે અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી. ‘અનુપમા’માં હવે પોતે નહીં જોવા મળે એના વિશે અલિશાએ ઈન્ટાગ્રામ પર લખ્યું છે: હેલો એવરીવન, મેં આ શો નથી છોડયો… પણ મને નથી ખબર આવું કેમ થયું… બધું બરાબર હતું, પણ અચાનક આવું કેમ થયું મને ખબર નથી… મારા માટે પણ આ શોકીંગ હતું.
‘અનુપમા’માંથી તાજેતરમાં ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા જેવા ઘણા કલાકારોની એકિઝટ થઈ છે.