વૈશાખ વદ અગીયારસને શુક્રવારે તા.૨૩ મેના દિવસે અપરા એકાદશી છે. આ દિવસે માં ભદ્રકાલીનુ પ્રાગટય થયુ હોવાથી આ એકાદશીને માં ભદ્રકાલી એકાદશી પણ કહેવામાં આવે છે. અપરા એકાદશીનુ વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતીમાં હોય તો તેમને મોક્ષ મળે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ન્હાવાના જળમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું.
ત્યારબાદ નિત્ય પુજા કરી અને બાજોઠ ઉપર પીળુ વસ્ત્ર પાથરી તેના ઉપર વિષ્ણુ ભગવાનની છબી પધરાવવી બાજુમાં ઘીનો દિવો કરવો તથા બાજુમાં પાણી ભરેલો ત્રાંબાના લોટા અથવા કળશમાં અબીલ, ગુલાલ, કંકુ પધરાવી આસોપાલવના પાંચ પાન પધરાવવા, સોપારી, રૂપિયો પધરાવવો અને તેની ઉપર આડુ શ્રીફળ રાખવુ. આ કળશ ભગવાનની છબીની આગળ પધરાવવો. વિષ્ણુ ભગવાનની છબીને ચાંદલો-ચોખા કરી પોતે કરવા, કુલ પધરાવી અને અબીલ, ગુલાલ, કંકુ, ધુપબતી અર્પણ કરવી. નૈવૈદ્યમાં મીઠાઈ તથા કાકડી ખાસ ધરાવી આરતી કરવી અને વિષ્ણુ સહસ્ત્રનામના જેટલા નામ બોલાઈ તેટલા બોલવા અને ત્યાર બાદ પોતાના ઈષ્ટદેવની માળા કરવી. પિતૃને પ્રાર્થના કરવી અને એકાદશીનુ વ્રત કથા વાંચવી અથવા સાંભળવી શુક્રવારે સાંજના સમયે ભગવાનના કિર્તન કરવા, બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવી તથા દિવસ દરમ્યાન નિંદ્રા કરવી નહી, ઉપવાસ અથવા એકટાણુ કરવુ બીજા દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યકર્મ કરી સૌ પ્રથમ સ્થાપના પાસે બેસી અને જમણા હાથમાં જળ લઈ અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી કે મેં અપરા એકાદશીનુ વ્રત કરેલુ છે. આ વ્રતનુ ફળ હું મારા પિતૃઓને અર્પણ કરૂ છુ. જો કોઈ મારા પિતૃ પ્રેતગતીમાં હોય તો તેને મોક્ષગતીની પ્રાપ્તિ થાય ત્યારબાદ હાથમાં લીધેલ જળ ભગવાન પાસે મુકવુ અને કળશનુ પાણી આખા ઘરમાં વિષ્ણુ ભગવાનનુ નામ લઈ છાંટી દેવુ. શ્રીફળ ભગવાનના મંદિરે પધરાવવુ આમ વ્રતની પૂર્ણાહુતિ કરવી.
જ્યોતિષ રાજદીપ જોશી (વેદાંત રત્ન-મો.૯૯૨૫૬૧૧૯૭૭)