Jamnagar તા.30
જામનગર શહેર-જિલ્લામાં Corona હાલના દિવસોમાં ફરી વ્યાપી રહેલા નવા Corona વેરીયન્ટને કારણે તા.23 થી 29 દરમિયાન 12 કેસ નોંધાયા છે. ત્યારે ડોક્ટરોએ સાવધાનીની આલબેલ વગાડી છે. સામે તંત્ર સજ્જ પણ થયું છે.
હાલના દિવસોમાં Coronaના વેરીયન્ટને કારણે કેસ આવવા લાગતા જામનગર મહાનગરપાલિકાના 12 આરોગ્ય કેન્દ્રોમાં તંત્ર દ્વારા Coronaના આરટીપીસીઆર ટેસ્ટની કીટો મુકવામાં આવી છે. પરંતુ હજી સુધી લોકો સામેથી Coronaના ટેસ્ટ કરાવવા આવતા હોવાની સ્થિતિ જોવા મળતી નથી. આજ રીતે હોસ્પિટલના તંત્રએ ઓક્સિજન કનેક્ટેડ બેડ, વેન્ટિલેટર્સ તેમજ સ્ટાફને અને દવા તૈયાર રાખી છે. પરંતુ નવા આવતા દર્દીઓને હોમ આઈસોલેટ રાખવાની જ હળવી સ્થિતિ જોવા મળી છે. જે કોઈ નવા દર્દીઓ નોંધાયા છે. તે તમામે તમામ પોતાના ખાનગી ડોક્ટરો એક્ટિવ પાસે સારવાર કરાવવા ગયા હતા અને ડોક્ટરોની ભલામણ મુજબ ખાનગી લેબોરેટરીમાં Coronaના ટેસ્ટ કરાવ્યા હતા. જે પોઝિટીવ આવતા તંત્રને જાણ કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં હાલ આજે વધુ એક કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 13 ઉપર પહોંચી છે. જેમાં 23મેં પ્રથમ કેસ પંચવટી માં પુરુષ ઉ.39,24મેં પટ્ટણી વાડ મહિલા ઉ.40,25 મેં ધાચીવાડમાંથી મહિલા ઉ.45,26 મેં કામદાર કોલોનીમાંથી એક પરિવારના ચાર કેસ,તેમજ ગોકુલનગર માંથી મહિલા ઉ.39,પાર્ક કોલીની મહિલા ઉ.40 ધાચીવાડમાથી મહિલા ઉ.45, આમ એક દિવસમાં સાત કેસ નોંધાયા હતાં.
28 મેં લાલપુર બાયપાસ નજીકથી મહિલા ઉ.39 ,કામદાર કોલોનીમાંથી પુરુષ ઉ.50 ,30 મેં ગુલાબનગર માંથી પુરુષ ઉ.39 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે.