Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025

    Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી
    • Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે
    • Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?
    • Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું
    • આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor
    • આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા
    • Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું
    • ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ashwinના પિતાએ દાવો કર્યો છે કે Ashwinને ટીમમાં અપમાનિત કરવામાં આવ્યો હતો
    ખેલ જગત

    Ashwinના પિતાએ દાવો કર્યો છે કે Ashwinને ટીમમાં અપમાનિત કરવામાં આવ્યો હતો

    Vikram RavalBy Vikram RavalDecember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૯

    ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટ મેચ સમાપ્ત થતાની સાથે જ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે અચાનક સીરિઝ વચ્ચે લીધેલી નિવૃત્તિ અંગે અનેક અટકળો ચાલી રહી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અશ્વિનના પિતા રવિચંદ્રને દાવો કર્યો છે કે અશ્વિનને ભારતીય ટીમમાં અપમાનિત કરવામાં આવ્યો હતો. તેથી કરીને તેણે અચાનક નિવૃત્તિ લઈ લીધી છે. અશ્વિનના પિતાએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમમાં મારા પુત્રનું સતત અપમાન થઈ રહ્યું હતું. જેના કારણે તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે જ નિવૃત્તિ લઈ લીધી હતી. હું પણ મારા પુત્રના અચાનક નિવૃત્તિના નિર્ણયથી ચોંકી ગયો હતો.

    વધુમાં અશ્વિનના પિતાએ જણાવ્યું હતું કે, ’મને પણ છેલ્લી ઘડીએ નિવૃત્તિ વિશે ખબર પડી હતી. મને ખબર નથી કે તેના મનમાં શું ચાલી રહ્યું હતું. તેણે જે રીતે નિવૃત્તિ લીધી છે તેનાથી હું ખુશ છું અને ખુશ નથી પણ, કારણ કે તેણે હજુ પણ રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું. નિવૃત્તિ લેવી એ અશ્વિનનો નિર્ણય હતો અને હું તેમાં દખલ કરીશ નહી. પરંતુ તેણે જે રીતે નિવૃત્તિ લીધી છે તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. માત્ર અશ્વિન જ જાણે છે કે નિવૃત્તિ પાછળનું શું કારણ છે? શક્ય છે કે અપમાન તેનું કારણ હોઈ શકે.’

    ભારતીય ટીમમાં અશ્વિનના અપમાનને લઈને તેના પિતાએ કહ્યું હતું કે, ’અશ્વિનની નિવૃત્તિ અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે. કારણ કે તે ૧૪-૧૫ વર્ષ સુધી રમ્યો હતો અને તેની અચાનક નિવૃત્તિએ અમને ઝટકો આપ્યો હતો. અમને લાગે છે કે તેનું સતત અપમાન થઈ રહ્યું હતું. તે ક્યાં સુધી પોતાનું અપમાન સહન કરી શકે તેથી તેણે નિવૃતિ લેવાનો નિર્ણય લીધો હશે.’ 

    હાલમાં ક્રિકેટ જગતમાં અશ્વિન ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર હતો. તે લાંબા સમયથી વિશ્વનો નંબર ૧ ટેસ્ટ બોલર રહ્યા હતો, તેમ છતાં તેને ભારતીય ટીમમાં તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર હતો. અશ્વિને બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ છેલ્લી ફાઈનલ મેચમાં આ તેને ટીમથી બહાર રખાયો હતો.

    આ મુદ્દો પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જો તમે વિશ્વના નંબર ૧ બેટરને પ્લેઈંગ ઈલેવનમાં રાખો છો તો દુનિયાનો નંબર ૧ ટેસ્ટ બોલર કેમ ટીમથી બહાર બેઠો છે? તેવી જ રીતે વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ અશ્વિનને પર્થ ટેસ્ટમાં તક આપવામાં આવી ન હતી. તે એડિલેડમાં રમ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટમાં તેને ફરીથી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

    Ravichandran Ashwin
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025
    ખેલ જગત

    Shreyas Iyer નું ખરાબ નસીબ, ૨ અઠવાડિયામાં બીજી ફાઇનલ હારી

    June 13, 2025
    ખેલ જગત

    Finn Allen T20 cricket ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન બની ગયો

    June 13, 2025
    ખેલ જગત

    George Munsey એ સ્કોટલેન્ડ માટે ૧૫૦ બોલમાં ૧૯૧ રનની શાનદાર ઇનિંગ રમી

    June 13, 2025
    ખેલ જગત

    Netherlandક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામે ૩૭૦ રનના લક્ષ્યનો પીછો કરીને અજાયબીઓ કરી

    June 13, 2025
    ખેલ જગત

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025

    Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?

    June 13, 2025

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025

    આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor

    June 13, 2025

    આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025

    Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.