Morbi,તા.07
ગુજરાત રાજ્ય હાલ ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવાની હોય પોસ્ટ વિભાગને પણ આ કામગીરી ની સેવા સોંપવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં પણ હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. તો મોરબી શહેરના તમામ નગરીકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી હોય તેઓએ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં સવારે ૮:૦૦ થી ૧:૦૦ દરમિયાન રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે. આ ઈ કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે નાગરિકને કોઈ પણ ચાર્જ આપવાનો થતો નથી.