Morbi,તા.03
વાઘગઢ ગામે ગામના સાથે બે ભાઈઓ માથાકૂટ કરતા હતા જેને સમજાવ્યા હતા જે બાબતનો ખાર રાખી બે ભાઈઓએ આધેડને છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલાએ આરોપીઓ યોગેશ તુલશી કાસુન્દ્રા અને મનોજ તુલશી કાસુન્દ્રા રહે બંને ઘુનડા (ખા) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સાત આઠ દિવસ પહેલા બંને આરોપીઓ ફરિયાદીના ગામના રમભા ઝાલા સાથે માથાકૂટ કરતા હતા જેથી ફરિયાદી વનરાજસિંહે ઝઘડો ના કરવા સમજાવ્યા હતા જેનો ખાર રાખી આરોપીઓએ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે સાથળના ભાગે ઈજા કરી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે