Vadodara,
વડોદરાના વડસર રોડ પર લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતો મનીષ જેંતીલાલ પંચાલ મકરપુરા જીઆઇડીસીમાં શ્રીનાથ એન્જિનિયર્સમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગર્ત 21મી ફેબ્રુઆરી શૈલેષભાઈની પુત્રી ઘર છોડીને જતી રહી હતી. શૈલેષભાઈના મિત્ર રાજેશ મગનભાઈ પટેલ અમારા વિશે ખોટી ખોટી વાતો સોસાયટીના લોકોને કહેતા હોય કે મેં તથા મારા સાઈનાથ મિત્ર મંડળે છોકરીને ભગાડવામાં સાથ આપે છે.
જેથી 27 ફેબ્રુઆરી રાત્રે 10:30 વાગ્યે રાજેશ પટેલને ફોન કરીને તમે મારા તથા મારા મિત્રો વિશે ખોટી ખોટી વાતો કેમ કરો છો કે તેને ભગાડવામાં મેં મદદ કરી છે. તેઓએ મને મળવા બોલાવતા હું વૃંદાવન સોસાયટીના સાઈનાથ મંદિરના બાકડા પાસે ગયો હતો. ત્યારે રાજેશ પટેલ તથા સતીશ પ્રજાપતિ તથા અલ્પેશ પ્રજાપતિ તથા પવન રાજપૂતે મારા પર હુમલો કરી માર માર્યો હતો.