Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઓક્ટોબર માસમાં ભારતની નિકાસમાં ૧૧.૮%નો તીવ્ર ઘટાડો…!!

    November 21, 2025

    ઓક્ટોબર માસમાં જેમ્સ – જ્વેલરીની નિકાસ ૩૧% ઘટી…!!

    November 21, 2025

    બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ૭.૫% સુધી પહોંચશે : એસબીઆઈ રિસર્ચ

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઓક્ટોબર માસમાં ભારતની નિકાસમાં ૧૧.૮%નો તીવ્ર ઘટાડો…!!
    • ઓક્ટોબર માસમાં જેમ્સ – જ્વેલરીની નિકાસ ૩૧% ઘટી…!!
    • બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ૭.૫% સુધી પહોંચશે : એસબીઆઈ રિસર્ચ
    • નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં એફએમસીજી ગ્રોથમાં ઘટાડો…!!
    • જિયો-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય બિઝનેસના ગ્લોબલ ફૂટપ્રિન્ટમાં વધારો…!!
    • સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર હિસ્સામાં ઝડપી ઘટાડો…!!
    • ભારતીય કંપનીઓનું દેવું ત્રણ વર્ષની ઊંચાઈએ…!!
    • Amreli પોલીસ જિલ્લાના ૨ લાખ બાળકોને ગુડ ટચ, બેડ ટચની ટ્રેનિંગ આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Kashmir to Gujarat સુધી હુમલા ચાલુ, એરપોર્ટ-એરબેઝને ટાર્ગેટ બનાવાયા
    રાષ્ટ્રીય

    Kashmir to Gujarat સુધી હુમલા ચાલુ, એરપોર્ટ-એરબેઝને ટાર્ગેટ બનાવાયા

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025Updated:May 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રીનગરની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર મોબાઈલ ટોર્ચ સુદ્ધાંનો ઉપયોગ નહીં કરવા સૂચના

    New Delhi, તા.૧૦

    ભારતીય સૈન્યએ એક જ દિવસમાં પાકિસ્તાનના સંખ્યાબંધ શહેરોમાં હાહાકાર મચાવ્યા પછી પણ પાકિસ્તાન સખણું રહેતું નથી. શુક્રવારે કાશ્મીરથી માંડીને ગુજરાત સુધી દેશના ૨૬ સ્થળે પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.  શ્રીનગર એરપોર્ટ પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારતની એર ડિફેન્સ સીસ્ટમે મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તકેદારીના ભાગરૂપે ગુજરાતના ભૂજ ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં અંધારપટનો અમલ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભૂજ, કુંવરબેટ અને લખીનાળા ખાતે પાકિસ્તાને ડ્રોન હુમલાકર્યા હતા. પાકિસ્તાને શ્રીનગર એરપોર્ટ પર ડ્રોન અને મિસાઈલથી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દક્ષિણ કાશ્મીરના અવંતીપુરા ખાતે મોટા ધડાકાના અવાજ સંભળાયા હતા. જમ્મુ શહેર અને ઉધમપુરમાં મોટા ધડાકા સંભળાયા હતા. પાકિસ્તાનના હુમલાથી જમ્મુ ઉપરાંત શ્રીનગરમાં ગભરાટ ફેલાયો હતો. શ્રીનગરની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર અંધારપટના ચુસ્ત અમલ માટે અને મોબાઈલ ટોર્ચનો સુદ્ધાં ઉપયોગ નહીં કરવા માટે સૂચનાઓ અપાતી હતી.પંજાબના પઠાણકોટ, ફિરોઝપુર, અમૃતસર અને હોશિયારપુર જિલ્લામાં મોટા ધડાકાના અવાજો સંભળાયા હતા. જેથી હવાઈ હુમલાની સાઈરનો રણકી હતી અને ત્યારબાદ અંધારપટ લાગુ કરી દેવાયું છે. પાકિસ્તાને પોખરણમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. સરહદ પર નાપાક હરકતો ચાલુ રહેતા રાજસ્થાનના સરહદી વિસ્તારો અને ગુજરાતના ભૂજ-કચ્છમાં અંધારપટ છે.ઈઝરાયેલ પર હુમલા દરમિયાન આતંકી સંગઠન હમાસ દ્વારા જે પ્રકારના હુમલા થતા હતા તેની નકલ પાકિસ્તાની સૈન્યે કરી છે. આ પ્રકારના હુમલામાં ડ્રોનની સાથે સંખ્યાબંધ દેશી બનાવટની મિસાઈલો અને દારૂગોળો ભરી દેવામાં આવે છે. ચારેય બાજુ મિસાઈલ પ્રહાર કરી એર ડિફેન્સ સિસ્ટમને થાપ આપવાનો પ્રયાસ થાય છે. ભારત દ્વારા પાકિસ્તાની ડ્રોનના કાટમાળનો અભ્યાસ શરૂ કરાયા છે, જેમાં આ ડ્રોન તુર્કીએના એસિસગાર્ડ સોનગર હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાને અંકુશ રેખા નજીકના તમામ વિસ્તારોમાં ડ્રોન હુમલા સઘન બનાવ્યા છે અને તેના કારણે ભારતમાં પણ કેટલાક મોત થયા છે. પાકિસ્તાને ભારત પર હુમલા કરતી વખતે સિવિલ એરસ્પેસ ચાલુ રાખી હતી અને સિવિલિયન ફ્લાઈટ્‌સને જોખમમાં મૂકી હતી. કુરેશીએ પાકિસ્તાનની નાલાયકીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરતી વખતે સિવિલિયનનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો અને સિવિલ પ્લેનની આડમાં તૂર્કીએના ડ્રોન પાકિસ્તાન પહોંચાડી દેવાયા હતા. ભારતે સિવિલ એર ટ્રાફિક સદંતર બંધ કરી દીધો છે પરંતુ પાકિસ્તાને બદઈરાદાથી કરાચી અને લાહોરના રૂટ ચાલુ રાખ્યા છે.પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલ સૈન્યની ત્રણેય પાંખના વડા અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શનિવારે પણ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરશે.

    airports and airbases targeted Attacks continue Kashmir to Gujarat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    ગુજરાતમાં સુરતની પ્રથમ BRTS બસ મહિલા ચલાવશે

    November 20, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath ના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા

    November 20, 2025
    રાષ્ટ્રીય

    Robert Vadra ની મુશ્કેલીઓ વધી, ઈડીએ ડિફેન્સ ડીલર સંજય ભંડારી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી

    November 20, 2025
    રાષ્ટ્રીય

    ભારત મધ્યમ ફુગાવા અને સારી વૃદ્ધિ વચ્ચે સ્થિર નાણાકીય નીતિ જાળવી રાખશે, Ashwini Vaishnav

    November 20, 2025
    આંતરરાષ્ટ્રીય

    દુશ્મન પર ફેંકવામાં આવતી માટી પણ મિસાઈલમાં ફેરવાઈ જાય છે, Asim Munir ફરી ધમકી આપી

    November 20, 2025
    રાષ્ટ્રીય

    10 લાખથી ઓછી કિંમતની કારોનું ફેસ્ટિવલ સીઝનમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું

    November 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઓક્ટોબર માસમાં ભારતની નિકાસમાં ૧૧.૮%નો તીવ્ર ઘટાડો…!!

    November 21, 2025

    ઓક્ટોબર માસમાં જેમ્સ – જ્વેલરીની નિકાસ ૩૧% ઘટી…!!

    November 21, 2025

    બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ૭.૫% સુધી પહોંચશે : એસબીઆઈ રિસર્ચ

    November 21, 2025

    નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં એફએમસીજી ગ્રોથમાં ઘટાડો…!!

    November 21, 2025

    જિયો-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય બિઝનેસના ગ્લોબલ ફૂટપ્રિન્ટમાં વધારો…!!

    November 21, 2025

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર હિસ્સામાં ઝડપી ઘટાડો…!!

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઓક્ટોબર માસમાં ભારતની નિકાસમાં ૧૧.૮%નો તીવ્ર ઘટાડો…!!

    November 21, 2025

    ઓક્ટોબર માસમાં જેમ્સ – જ્વેલરીની નિકાસ ૩૧% ઘટી…!!

    November 21, 2025

    બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ૭.૫% સુધી પહોંચશે : એસબીઆઈ રિસર્ચ

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.