- Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત
- US tariffs જેમ્સ-જવેલરીની ચમક ઘટાડી: નિકાસમાં 15.81 ટકાનો ઘટાડો
- Transfer Fee માં હવે હાઉસીંગ સોસાયટીની મનમાની નહી ચાલે:સરકારે મર્યાદા મુકી
- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
Author: Vikram Raval
શહેર એસઓજીએ ૯.૮૫ લાખનો માદક પદાર્થ કબ્જે કર્યો રાજકોટતા.23 શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એ”SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે બાતમી પરથી ભક્તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ અમ્રુત સાગર પાર્ટી પ્લોટ ભક્તિધામ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૯ રાજકોટ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે પાર્થ દેવકુભાઇ મકવાણા (ઉ.વ.૨૧ રહેવાસી-ભક્તિધામ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૯ અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ભક્તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ રાજકોટ) તથા સાહીલ ઉર્ફે નવાબ અયુબભાઇ સોઢા (ઉ.વ.૨૪…
Gandhinagar,તા.૨૩ ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતાન નરેશ અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ગરબા અને ઢોલના તાલે મહેમાનોના સ્વાગત બાદ મુખ્યમંત્રીએ તેમના સમ્માનમાં ગાંધીનગરની ધ લીલા હોટેલ ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. ભૂતાનના મહેમાનોએ ગુજરાતની ભૂમિ પર સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી હતી. અહીં પ્રતિનિધિમંડળ માટે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. મહેમાનોએ કૉન્ટિનેન્ટલ વાનગીઓ સાથે ખમણ ઢોકળા, સુરતી ઊંધિયું, થેપલા જેવી ગુજરાતી વાનગીઓનો સ્વાદ…
નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો Kutch,તા.૨૩ રાજ્યમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. અગાઉ પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે કચ્છ જિલ્લમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. કચ્છના નખત્રાણા, અબડાસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ સૌરાષ્ટ્ર પર મહેરબાન થયો હતો. પોરબંદર, દ્વારકા…
Lucknow,તા.૨૩ રામ મંદિરના પૂજારીઓ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા રોસ્ટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૂજારીઓ પહેલાની જેમ રામલલાની પૂજા કરશે. પૂજારીઓએ રોસ્ટર સામે વાંધો નોંધાવ્યો હતો. રામ મંદિરમાં પૂજારીઓ તેમના નિર્ધારિત સમય મુજબ પૂજા કરી રહ્યા છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે તમામ પૂજારીઓએ ટ્રસ્ટને પત્ર આપ્યા બાદ ટ્રસ્ટે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવે તમામ પૂજારીઓ અગાઉના સમયે રામ મંદિરમાં સેવા આપશે. આપને જણાવી દઈએ કે શ્રાવણ માસને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂજારીઓ સાથે બેઠક કર્યા બાદ પૂજારીઓને ચાર જૂથમાં વહેંચી દીધા હતા અને રામ…
New Delhi,તા.૨૩ આ વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટના ૧૨.૯ ટકા સંરક્ષણ માટે ફાળવ્યા છે. પરંતુ વચગાળાના બજેટમાં આમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે સંરક્ષણ બજેટ માટે ૬,૨૧,૯૪૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વચગાળાના બજેટમાં આ જાહેરાત ૬,૨૧,૫૪૧ કરોડ રૂપિયાની હતી. ગયા વર્ષનું સંરક્ષણ બજેટ ૫.૯૩ લાખ કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. નાણામંત્રીએ આ સંરક્ષણ બજેટમાં રૂ. ૧.૦૫ લાખ કરોડની જાહેરાત માત્ર એટલા માટે કરી છે જેથી દેશની કંપનીઓ પાસેથી સંરક્ષણની ખરીદી અને વેચાણ આત્મનિર્ભર ભારત હેઠળ થઈ શકે. તેમનું પ્રમોશન થઈ શકે છે. સરહદની સુરક્ષા માટે રસ્તાઓનું નિર્માણ જરૂરી છે, તેથી આ વખતે બોર્ડર…
ભારતમાં ૨૪-૨૫ જુલાઈની મધ્ય રાતે શનિ ચંદ્રમાની પાછળ છુપાઈ જશે અને ચંદ્રમાની પાછળથી શનિ ઝાંખો જોવા મળશે New Delhi, તા.૨૩ હંમેશા વાદળોની વચ્ચે છુપાઈ જતો ચંદ્ર પોતાની ઓથમાં શનિને છુપાવા જઈ રહ્યો છે. ૧૮ વર્ષ બાદ ભારતમાં આ દુર્લભ ખગોળીય નજારો જોવા મળશે. ભારતમાં ૨૪-૨૫ જુલાઈની મધ્ય રાતે આ નજારો જોવા મળશે. આ સમયે શનિ ચંદ્રમાની પાછળ છુપાઈ જશે અને ચંદ્રમાની પાછળથી શનિ ઝાંખો જોવા મળશે. દુનિયાભરના અંતરિક્ષશાસ્ત્રીઓ તેના અભ્યાસની તૈયારીઓ કરી રહ્યા છે. આ ઘટનાને શનિનું ચંદ્રગ્રહણ નામ આપવામાં આવ્યું છે.૨૪ જુલાઈની રાતે ૧.૩૦ વાગ્યા બાદ આકાશમાં આ દ્રશ્ય જોવા મળશે. રાતે ૧.૪૪ વાગ્યે ચંદ્રમા શનિ ગ્રહને પોતાની પાછળ…
New Delhi, તા.૨૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની દ્ગડ્ઢછ સરકારે બજેટ રજૂ કર્યું છે. હવે આ બજેટમાં ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું કે, મજા આવી ગઈ. અમને એ વાતની ખુશી થઈ કે, લોકસભા ચૂંટણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો તો હતો.નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ યુવાઓને ઈન્ટર્નશિપ સાથે ૫,૦૦૦ રૂપિયાનું માસિક ભથ્થું મળશે. કોંગ્રેસે તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં તાલીમના અધિકારોનો વાયદો કર્યો હતો, તેના હેઠળ ડિપ્લોમા અને ડિગ્રી ધરાવનાર બેરોજગાર યુવાઓને ટ્રેનિંગ…
New Delhi તા.૨૩ મોદી સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે સંસદમાં રજુ કરી દીધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સદનમાં બજેટ રજુ કર્યું. આ બજેટમાં સૌથી પહેલા તેમણે રોજગારી અનેે યુવાઓ માટે જાહેરાત કરી. નાણામંત્રીએ યુવાઓ અને રોજગાર પર ફોકસ કરતા બજેટમાં મોટી જાહેરાત કરી. સરકારે રોજગાર અને કૌશલ તાલિમ સંબંધિત ૫ યોજનાઓ માટે ૨ લાખ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી છે. સરકારે રોજગારને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેન્ટિવની ૩ સ્કીમ પણ જાહેર કરી. નાણામંત્રીએ પોતાના બજેટના ભાષણમાં શરૂઆતમાં જ કહ્યું કે સરકાર રોજગારને વધારવા માટે કર્મચારી અને નિયોક્તા (એમ્પ્લોયર) બંનેની મદદ કરશે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ત્રણ મોટી જાહેરાત કરી છે. જેનો…
અદાલતી કાર્યવાહીને કારણે નીટ-યુજીનું અટકાવી દેવામાં આવેલું કાઉન્સેલિંગ આવતીકાલથી ફરીથી શરૂ થશે New Delhi, તા.૨૩ NEET વિવાદમાં છેવટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે નીટની પરીક્ષા ફરીથી લેવાની માગણી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ પરીક્ષા ૨૩ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આપેલી છે અને હવે ફરીથી પરીક્ષા લેવાથી એ તમામ વિદ્યાર્થીઓને અસર પડશે. દરમિયાન, અદાલતી કાર્યવાહીને કારણે નીટ-યુજીનું અટકાવી દેવામાં આવેલું કાઉન્સેલિંગ આવતીકાલથી ફરીથી શરૂ થશે.અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું કે, આ કેસની સીબીઆઈ તપાસ થઈ રહી છે અને તપાસ હજુ અધુરી છે ત્યારે નવેસરથી પરીક્ષા બાબતે નિર્ણય લેવો ઉચિત નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર રીતે જોતાં આખી પ્રક્રિયામાં…
બજેટમાં નીતીશ કુમારનું બિહાર અને ચંદ્રબાબુ નાયડુનું આંધ્રપ્રદેશ છવાયેલું રહ્યું છે New Delhi, તા.૨૩ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આવી ગયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે ૨૦૨૪-૨૫ માટે બજેટ રજૂ કર્યું હતું. બજેટની શરૂઆત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે લોકોએ મોદી સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે. બજેટમાં નીતીશ કુમારનું બિહાર અને ચંદ્રબાબુ નાયડુનું આંધ્રપ્રદેશ છવાયેલું રહ્યું છે. બંને રાજ્યોને ઘણી ભેટ મળી છે. બિહારમાં ૪૦ હજાર કરોડ રૂપિયા તો આંધ્રમાં ૧૫ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે. આ વખતે બજેટમાં નોકરીઓ અને સ્કિલ ડેવલોપમેન્ટ પર પણ ફોક્સ રહ્યો છે. સરકારે નોકરીઓ વધારવા…