Author: Vikram Raval

New Delhi ,તા.22 પીએમ મોદીએ બજેટ સત્રનો માહોલ સેટ કરી દીધો છે. સત્રની શરૂઆત પહેલા સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર નકારાત્મક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક પક્ષોએ ફાયદા માટે સંસદનો દુરુપયોગ કર્યો છે. છેલ્લા સત્રમાં પીએમના ભાષણ દરમિયાન વિપક્ષે ખૂબ હંગામો કર્યો હતો. તેના પર આજે પીએમ એ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, અઢી કલાક સુધી મારો અવાજ દબાવવા પ્રયાસ કરાયો હતો અને મને બોલવાની તક નહોતી આપી. પીએમ મોદીએ આગળ કહ્યું કે, દરેક દેશવાસી માટે એ ગર્વની વાત છે કે, ભારત મોટી ઈકોનોમી વાળા દેશોમાં તેજ ગતિથી આગળ વધનારો દેશ છે. ગત…

Read More

New Delhi ,તા.22 મોદી 3.0ના પ્રથમ બજેટ પૂર્વે આજે દેશની સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં દેશના આર્થિક લેખાજોખા રજૂ કરતા અહેવાલને Economic Survey અર્થાત આર્થિક સર્વેક્ષણ કહેવાય છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર(CEA)ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં આજે મોટા ખુલાસા થયા છે. 2022 સુધીના આંકડાના આધારે ભારતમાં અસમાનતાની સ્થિતિ પરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ટોચના 1 ટકા લોકો પાસે કુલ કમાણીનો 6થી 7 ટકા હિસ્સો છે, જ્યારે ટોચના 10 ટકા ધનિકો પાસે દેશની કુલ આવકનો એક તૃતીયાંશ ભાગ છે. ઈકોનોમિક સર્વેમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં શિક્ષણનું…

Read More

Bihar ,તા.22 બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. ખરેખર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ બાબતે એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા શક્ય જ નથી. જેડીયુની વારંવાર માગ છતાં ના પાડી દીધી  મંત્રીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા માટે જે જોગવાઈ પૂરી કરવાની હોય છે તે બિહારમાં નથી. ઉલ્લેખનીય છે કે ગત અનેક વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ થતી રહી છે. હાલમાં જ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ…

Read More

New Delhi ,તા.22 ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની આપી છે. કેરળથી રાજ્યસભા સાંસદ વી શિવદાસને જણાવ્યું કે, મને આ ધમકી ફોન કોલ પર મળી છે. સાંસદે જણાવ્યું કે, મને એક ફોન કોલ આવ્યો હતો, તેમાં ધમકી આપવામાં આવી હતી કે, સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસ (એસજેએફ)ના નામથી કરવામાં આવ્યો હતો. આ મામલે સાંસદ વી શિવદાસને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું કે, મને એસજેએફના નામ પર ફોન કોલ આવ્યો હતો. વી શિવદાસન કેરળથી સીપીઆઈ (એમ)ના સાંસદ છે. ધમકી આપનારે ગુરપતવંત સિંહ પન્નૂનું…

Read More

Mumbai, તા.22 ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T-20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઋતુરાજ, અભિષેક અને જાડેજાને કેમ બહાર કર્યા? આ અંગે અજીત અગરકરે કહ્યું, ‘કોઈપણ ખેલાડી જેને ટીમમાંથી બહાર કરવામાં આવશે તેને ખૂબ જ ખરાબ લાગશે. રિંકુને જ જુઓ, તેણે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં જગ્યા બનાવી…

Read More

Mumbai, તા.22 ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમના શ્રીલંકા પ્રવાસ પહેલા નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમ 27 જુલાઈથી યજમાન શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને વધુ એક દિવસીય મેચ રમશે. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગરકરે ટીમ સિલેક્શનને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા. રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં કેમ સ્થાન ન મળ્યું?  વન ડે ટીમમાં રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી અંગે અજીત અગરકરે કહ્યું હતું કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બંનેને ટીમમાં સ્થાન આપવાનું કોઈ ખાસ કારણ નહોતું. કોઈ એકને ટીમની બહાર રહેવું જ પડે એમ હતું. જાડેજાને પડતો મૂકવામાં નથી આવ્યો,…

Read More

Haryana, તા.22 હરિયાણાના અંબાલામાં ખૂબ દર્દનાક ઘટના સામે આવી છે. ત્યાં સેનાના એક રિટાયર્ડ સુબેદારે પોતાના જ પરિવારના પાંચ લોકોની કથિત રીતે હત્યા કરી દીધી. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. જાણકારી અનુસાર ઘટના રવિવારે રાતની છે. મૃતકોની ઓળખ 65 વર્ષની માતા સરોપી દેવી, 35 વર્ષના ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપનું નામ ભૂષણ કુમાર છે. તેણે મોડી રાત્રે સૌથી પહેલા તીક્ષ્ણ હથિયારથી ભાઈ પર હુમલો કર્યો. તે બાદ તેણે એક-એક કરીને સમગ્ર પરિવારને ખતમ કરી દીધો. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ…

Read More

Mumbai, તા.22 જ્યારથી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે ત્યારથી ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધોમાં સતત ઉતારચઢાવ ભર્યા રહ્યા છે. બંને દિગ્જ્જો ભૂતકાળમાં ક્રિકેટ મેદાનમાં એકબીજા સાથે સામસામે આવી ગયા હતા. ગંભીર કોમેન્ટેટર તરીકે હમેશાં કોહલીની ખામીઓ ગણાવતો હોય છે. જયારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, કોહલી સાથેના તેના સંબંધથી ભારતીય ટીમને કોઈ ફરક પડશે? આ સવાલનો ગંભીરે જવાબ આપતા કહ્યું હતું કે, વિરાટ કોહલી સાથે મારો જે સંબંધ છે, તે ટીઆરપી માટે નથી. ભારતીય ટીમના કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે સોમવારે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેની સાથે ટીમના મુખ્ય સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતા.…

Read More

New Delhi,તા.22 કેન્દ્ર સરકાર 23 જુલાઈએ 2024-25નું બજેટ રજૂ કરે તે પહેલાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારે સંસદમાં દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં સમાચાર લખાયા ત્યાં સુધી સરકારનું સંપૂર્ણ ફોકસ ખાનગી સેક્ટર અને પીપીપી પર રહ્યો છે. જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2024-25માં જીડીપી ગ્રોથ 6.5થી 7 ટકા  રહેવાનો અંદાજ આપ્યો છે. વૈશ્વિક પડકારો દેશનો સૌથી મોટો પ્રશ્ન સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર…

Read More

Uttar Pradesh,તા.22 લખનઉ દિલ્હી હાઈવે પર સોમવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચેની ભીષણ ટક્કરમાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે 49થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. શ્રાવણ માસનો સોમવાર હોવાથી હાઈવે પરનો ટ્રાફિક વન-વે કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મિલકમાં ભૈરવ બાબા મંદિર પાસે બે બસો સામસામે અથડાઈ હતી. સવારે 4:00 વાગ્યે લખનઉથી દિલ્હી જઈ રહેલી સાહિબાબાદ ડેપોની જનરથ બસ હરિદ્વારથી શ્રાવસ્તી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે અથડાઈ હતી. બંને બસના આગળના ભાગનો તૂટીને કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ઘાયલોમાં ચીસા-ચીસ થઈ હતી. અકસ્માતની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી…

Read More