- Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
- Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
- Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
- Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
- વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
- આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
- તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
- Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
Author: Vikram Raval
Washington,તા.૧૮ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કોરોના પોઝિટિવ મળ્યા છે. લાસ વેગાસમાં તેમની પ્રથમ ઘટના બાદ યુએસ પ્રમુખ બાઈડેનનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેને રસી આપવામાં આવી છે અને તેને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. તે ડેલાવેયર સિટીમાં પોતાને અલગ રાખશે. વ્હાઇટ હાઉસ તરફથી અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે આ સમય દરમિયાન પણ તે પોતાની તમામ ફરજો સંપૂર્ણ રીતે નિભાવશે. વ્હાઇટ હાઉસ પણ રાષ્ટ્રપતિની સ્થિતિ વિશે નિયમિત અપડેટ આપવાનું ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેનને કોરોનાના હળવા લક્ષણોનો અનુભવ થયો હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ બાઈડેન કોરોનાથી સંક્રમિત…
Mumbai,તા.૧૮ આજે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો જન્મદિવસ હતો, જેણે આંતરરાષ્ટ્રીય સ્ટાર બનીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. આ ખાસ અવસર પર તેના ચાહકોએ જ નહીં પરંતુ તેના પરિવાર અને પતિએ પણ તેને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હા, નિકે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે તેની પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો. નિકની આ પોસ્ટ ઈન્ટરનેટ પર આવતા જ તે વાયરલ થઈ ગઈ હતી. નિક જોનાસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ૪ ફોટા શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં પ્રિયંકાનો ફોટો દેખાઈ રહ્યો છે. બીજા ફોટામાં કપલ લિપ-લોક કરી રહ્યું…
Mumbai,તા.૧૮ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં લગ્નને લઈ નવી નવી અપટેડ સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અનંત અને રાધિકાના લગ્ન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ બીજું કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ બનાવી છે આ ફિલ્મને શુભ આશીર્વાદ સેરમની દરમિયાન દેખાડવામાં આવી હતી. એક યુટ્યુબરે પોતાના પોડકાસ્ટમાં આ વિશે જણાવ્યું છે, તેમણે કહ્યું કે, લગ્નના બીજા દિવસે ૧૦ મિનિટની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ડાયરેક્ટર એટલીએ બનાવી હતી. તે એક એનિમેટેડ ફિલ્મ હતી, આ ફિલ્મનો વોઈસઓવર અમિતાભ…
Mumbai, તા.૧૮ એક તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે પાર્ટીની રોનક વધારી તો બીજી તરફ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના અલગ થવાના સમાચારે ફરી જોર પકડ્યું છે. આ લગ્નમાં અભિષેક તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો, તો ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે એકલી જોવા મળી હતી. આ લગ્ન દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી. આ સમાચારો વચ્ચે અભિષેકે કંઈક એવું કર્યું છે જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન સાથે તેમની પત્ની જયા બચ્ચન, પુત્રી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ હતા. આ દરમિયાન શ્વેતા નંદાના…
Junagadh,તા.૧૮ જૂનાગઢના માળીયા (હાટીના) ના ખોરાસા ગીર નજીક એક એશિયાઇ સિંહણ અને બે બચ્ચા સહીત કુલ ત્રણ સિંહના મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. ખોરાસા ગામમાં રસ્તાની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં ત્રણ સિંહોના મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાની સાથે જ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરીને નાકા બાંધી કરીને જીંવત ભરી તપાસ શરુ કરી છે, હાલ વન વિભાગની ટીમે સિંહણ અને બચ્ચાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. વન વિભાગ પાસે મોતના કારણ અંગે કોઈ માહિતી નથી, આથી વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતોએ તપાસ શરૂ કરી છે. ગત રાત્રીના સમયે મળેલા એશિયાઈ સિંહોના ત્રણ…
Gandhinagar,તા.૧૮ સીએમ ભુપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ ૧૫ હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ ૫ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામા આવશે. આ યોજના થકી ૩ વર્ષમાં ૩ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેમાં ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ૧૫૦૦૦ હંગામી આવાસ બનાવાવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરામાં કુલ ૧૭ સાઈટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શ્રમિક…
તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી Navsari,તા.૧૮ નવસારી જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રક્ટરોએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકી ૧૨.૪૪ કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે કાર્યપાલક ઈજનેર, ઈજારદાર, વેપારીઓ સહિત કુલ ૧૪ સામે સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં બે અલગ-અલગ ગુના નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં કુલ ૫૪ ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજુ કરીને તેને મંજૂર કરી ૫.૪૮ કરોડ રૂપિયા…
Gandhinagar,તા.૧૮ ગાંધીનગરમાં ગામેગામ વેચાવવાની ફરિયાદ તો જારી છે ત્યાં હવે સબ રજિસ્ટ્રારે સરકારી જમીન બારોબાર વેચી દેવાની ફરિયાદ નોંધાઈ છે. પીરોજપુરની જમીન બારોબાર વેચાયાનો ગુનો નોંધાયો છે. સરકાર સાથે છેતરપિંડી અને ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે. સબ રજિસ્ટ્રારે ૨,૭૩૪ મીટર જમીન બારોબાર વેચી દીધી હતી. ગુનો નોંધાતા આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. ગાંધીનગર જિલ્લામાં જૂના પહાડિયા ગામને બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાની વાત ચાલુ જ છે ત્યાં હવે આ જ રીતે બીજું ગામ વેચાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી ૧.૫ વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં…
Surat,તા.૧૮ સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે. જેમાં સુરતના પલસાણામાં ગુજરાત એટીએસએ રેડ કરી હતી. તેમાં ૪.૫ કિલો કેમિકલ સહિત રૂપિયા ૪.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પર ડ્રગ્સ બનાવવા માટે વપરાતુ કેમિકલ મળ્યુ હતું. પલસાણાના ઔધોગિક વિસ્તારમાં આ ઘટના બાદ ચકચાર મચી છે. સુરતમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની આશંકાએ આ રેડ કરવામાં આવી હતી. તેમજ ગુજરાત એટીએસે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ માહિતી સુત્રો દ્વારા મેળવવામાં આવી છે. શહેરમાં છેલ્લા લાંબા સમયથી ‘નો ડ્રગ્સ ઈન સુરત’ નામનું અભિયાન પોલીસ ચલાવી રહી છે. સુરત પોલીસ ડ્રગ્સનો કારોબાર કરતા હોય તે લોકો પર પોલીસ સતત…
Rajkot,તા.૧૮ ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ ૫ બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી સ્ઝ્રર બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં ૭ બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે. જોકેચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જછે. રાજકોટમાં નવી એમસીએચ બિલ્ડીંગ ખાતે આઇસીયુ સાથેના ૭ બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી હોવાનું ઇર્સ્ં એ નિવેદન આપ્યુ છે.દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા…