- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
- EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
- Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
- Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
- Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
- Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
Author: Vikram Raval
New Delhi,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી શકે છે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાયર્લિય દ્વારા જારી કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ ૨૬ સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને નેપાળના વડા પ્રધાનના સંબોધન પણ નિર્ધિરિત કરવામાં આવ્યા છે. આ વાર્ષિક બેઠક માટે વિવિધ દેશોના રાષ્ટ્રના વડાઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભેગા થાય છે. પીએમ મોદી પાંચમી વખત ત્યાં હાજર રહીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત, ૨૦૨૦…
New Delhi,તા.૧૬ જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (૧૬ જુલાઈ ૨૦૨૪) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આર્મી ચીફ પાસેથી ડોડામાં આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી લીધી હતી. આર્મી ચીફને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી…
Patna,તા.૧૬ બિહારના દરભંગામાં પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા થઈ ગઈ છે. તેમના પિતા જીતન સહનીનો મૃતદેહ ગામના ઘરમાં જ મળ્યો. મૃતદેહની હાલત જોઈને એવું લાગે છે કે તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુકેશ સહની મુંબઈથી પાછા ફરી રહ્યાં છે અને ગામમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે અને એસઆઈટીની રચના કરી દેવાઈ છે, જે તપાસ કરી રહી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીએ નીતીશ કુમાર સરકાર પર જંગલરાજનો આરોપ લગાવ્યો છે. પપ્પુ યાદવે પણ કાયદા-વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યાં છે. આ દરમિયાન ભાજપ નેતા અજય આલોકે અજીબ નિવેદન આપ્યું છે, જેની પર…
ગુજરાત-મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ Lucknow,તા.૧૬ ઉત્તર પ્રદેશના ૨૦ જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નેપાળ સરહદની નદીઓની સાથે ગંગા પણ વહેતી થઈ છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર દર કલાકે ૫થી ૧૦ સેન્ટિમીટર વધી રહ્યું છે. ગોરખપુરમાં રાપ્તી નદી ખતરાના નિશાનથી આગળ વહી રહી છે. રસ્તાઓ પર હોડીઓ ફરી રહી છે. ૩૦ ગામો પાણીમાં ડૂબી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ યોગી સાથે પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ બિહારમાં પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુઝફ્ફરપુરમાં સ્થિતિ સૌથી ખરાબ છે. કટરા બ્લોકમાં બાગમતી અને લખંડેઈ નદીઓ તણાઈ રહી છે. બકુચી, પટારી, અંદામા, બસઘટ્ટા, નવાદા, ગંગેયાના ૫૦ હજારથી વધુ ગામોની વસ્તી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૬૪ સામે ૮૦૭૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૨૧ સામે ૨૪૬૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૪૧ પોઈન્ટ…
લખનૌ,તા.૧૬ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં તડાફડી થઈ ગયાના અહેવાલ છે. યુપીમાં ભાજપ સંગઠન અને સરકાર સામસામે આવી ગયાં હોવાનું આ બેઠકે સ્પષ્ટ કરી દીધું છે. યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો છે. આ બેઠકમાં યોગી આદિત્યનાથને સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવાનો તખ્તો ઘડવા માટેની હાઈકમાન્ડની ઈચ્છા પર પણ યોગીએ પાણી ફેરવી દીધું છે. ભાજપ યુપીમાં સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ…
Mumbai, તા.૧૬ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલ યુટ્યુબરને જામીન મળી ગયા છે. મુંબઈની એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે યુટ્યુબરને જામીન આપ્યા હતા. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના તેના સંબંધો વિશે બડાઈ મારવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.યુટ્યુબર સામે ગુનાહિત ધાકધમકી અને ઇન્ફોર્મેશન ટેન્કોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૨ જૂનના રોજ, પોલીસે રાજસ્થાનના રહેવાસી બનવારીલાલ લતુરલાલ ગુજ્જર સામે એફઆઈઆર નોંધી હતી, જેમાં તેણે બિશ્નોઈ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો.પોલીસે કહ્યું હતું કે ગુર્જરે તેની યુટ્યુબ ચેનલ…
Pratapgarh, તા.૧૬ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં બાહુબલી ધારાસભ્ય રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને પોલીસે નજરકેદ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે મોહરમના અવસર પર પિતાના વિરોધને કારણે રાજા ભૈયાને નજરકેદ કરવામાં આવ્યા છે. મોહરમનો તહેવાર સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક વહીવટીતંત્રે તેમને ત્રણ દિવસ માટે ભદ્રી મહેલમાં નજરકેદ કરી દીધા છે.ઉદય પ્રતાપ સિંહ કુંડામાં પ્રયાગરાજ-લખનૌ હાઈવેના શેષપુર ગામમાં મોહરમના દસમા દિવસે રસ્તો રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે પ્રશાસને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને મોહર્રમના જુલુસનું આયોજન કરવું પડે…
હોલીવુડ અભિનેતા અને કુસ્તીબાજ જ્હોન સીનાએ અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહની એક તસવીર શેર કરી છે Mumbai, તા.૧૬ હોલીવુડ એક્ટર અને રેસલર જ્હોન સીના પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. તેમણે અનંત-રાધિકાના શુભ લગ્ન અને આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે પોતાના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં તેણે શાહરૂખ ખાન સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે અને તેના વખાણ કર્યા છે. આ સાથે જ્હોન સીનાએ અંબાણી પરિવારની આતિથ્યની પ્રશંસા કરી છે. પોતાની પોસ્ટમાં જ્હોન સીનાએ લખ્યું, ‘તે ૨૪ કલાક શાનદાર રહ્યા. હું અંબાણી પરિવારની અજોડ…
તાપસી પન્નૂ વર્ષ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ લાવી હતી,જેનું નામ હસીન દિલરૂબા હતું Mumbai, તા.૧૬ તાપસી પન્નૂ વર્ષ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ લાવી હતી, જેનું નામ હસીન દિલરૂબા હતું. આ એક રૉમેન્ટિક થ્રિલર ફિલ્મ હતી, જેની સ્ટૉરીએ દરેકનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં તાપસી પન્નૂ ઉપરાંત વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટૉરી એક એવી પત્નીની છે જેના પતિની હત્યાની શંકા વધુ ઘેરી બને છે. હવે મેકર્સ આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ કરવા જઈ રહ્યા છે, જેની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. હવે તાપસી પન્નૂ…