- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
- EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
- Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
- Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
- Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
- Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
Author: Vikram Raval
લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા Mumbai, તા.૧૬ લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા જેણે બધાને ચોંકાવી દીધા હતા. હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રી ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, જેની સારવાર શરૂ થઈ ગઈ છે. ચાહકોને આ સમાચાર આપ્યા બાદ તેણે પોતાના વાળ પણ જાતે જ કાપી લીધા હતા. હિનાની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે અને સારવાર શરૂ થતાં જ અભિનેત્રીએ આ પગલું ભરવાનું નક્કી કર્યું. કેન્સર ત્રીજા સ્ટેજમાં હોવાના…
બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી Mumbai, તા.૧૬ દીપિકા પાદુકોણે કોપી કરેલ ઓરી સિગ્નેચર પોઝઃ બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી. પછી તે અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ. ઓરીના આ પોઝની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ ઓરી અનંત-રાધિકાના લગ્નમાં વ્યસ્ત હતી. કપલના લગ્નમાં ઓરીએ ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા અને વીડિયો બનાવ્યો, પરંતુ ઓરીનો આવો જ એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. વાસ્તવમાં અનંત-રાધિકાના લગ્નમાં ઘણી મોટી…
Gandhinagar, તા.16 રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનામાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી…
New Delhi તા.16 શ્રી કેદારનાથ દિલ્હી ધામ મંદિર 3 એકરમાં દિલ્હીમાં નિર્મિત થઈ રહ્યું છે. 10 જુલાઈના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું ભૂમિપૂજન પણ કર્યું હતું. કેદારધામ ટ્રસ્ટ મંદિર બુરારીમાં તેનું નિર્માણ કરાવી રહ્યા હોવા છતાં પૂજન બાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી માંડી કેદાર ખીણમાં તેના અંગે નારાજગી વ્યક્ત થઈ છે. કેદારનાથ ધામ સાથે જોડાયેલા પંડિતો અને પૂજારીઓમાં રોષ છે. તેમનું કહેવું છે કે કેદારનાથ ધામ સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે, આવી સ્થિતિમાં બાબા કેદારનાથનું મંદિર બીજે ક્યાંક બનાવવું એ યાત્રાની ગરિમાની વિરુદ્ધ છે અને ધામ પ્રત્યેની લોકોની આસ્થા પર પણ હુમલો છે. શંકરાચાર્ય…
Srinagar,તા.16 કાશ્મીરમાં છેલ્લા એકાદ મહિનાથી ત્રાસવાદી પ્રવૃતિ વધી ગઈ હોય તેમ આજે વધુ એક અથડામણ થઈ હતી અને તેમાં ભારતીય સૈન્યના કેપ્ટન રેન્કના એક અધિકારી સહિત પાંચ જવાનો શહિદ થયા હતા. આ ઘટનાથી કેન્દ્ર સરકાર સમસમી ગઈ છે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે ડોડાથી 55 કી.મી. દુર ડેસા વન ક્ષેત્રમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે રાષ્ટ્રીય રાઈફલ તથા જમ્મુ-કાશ્મીરની સ્પેશ્યલ પોલીસ ટીમ દ્વારા પીછો કરીને સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રાસવાદીઓએ એકાએક ગોળીબાર શરૂ કરી દેતા સામસામી જોરદાર અથડામણ થઈ હતી. ત્રાસવાદીઓએ નાસી જવાના પ્રયાસમાં અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય જવાનો દ્વારા પણ વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો.…
Rajkot, તા.15 છેલ્લા 10 દિવસથી જુગારીઓ પોલીસથી બચવા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જુગાર કલબ ચલાવતાં ’તા: છ વેપારી સહિતના શખ્સો 14 શખ્સો દબોચાયાક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા અને ટીમની કાર્યવાહી રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ પ્રભુ કૃપા ફાર્મ એન્ડ રીસોર્ટ વિલામાં ધમધમતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.2.63 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલા રિસોર્ટમાં ફરીવાર જુગાર કલબ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જસદણ, આટકોટ, સરધાર, રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી જુગાર રમવા આવેલા 14 શખ્સોને ઝડપી લીધાં હતાં. જેમાં છ વેપારી પણ સામેલ હતાં. દરોડાની…
આરોપી ધવલ તાળાએ ઉછીના રૂ।.10 લાખ લઈ તે રકમ ચૂકવવા ચેક આપ્યો હતો, જે રિટર્ન થયો હતો Rajkot, તા.15 શહેરના બ્રહ્માણી હોલની પાછળ, કોઠારીયા રોડ ઉપર રહેતા વેપારી ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ આરોપી ધવલ રતિભાઈ તાળા (રહે. જલારામ – 4, 150 ફુટ રીંગ રોડવ) નામના વેપારીને રૂ.10 લાખ હાથ ઉછીના આપેલા અને તે અંગેનું એક લખાણ રૂા.100નાં સ્ટેમ્પ પેપર ઉપર પક્ષકારો વચ્ચે કરવામાં આવેલ અને આરોપીએ ફરીયાદીની લેણી રકમ પરત કરવાનાં હેતુથી રૂ.10 લાખનો પતિ – પત્નીના સંયુકત ખાતાનો ચેક આપેલ હતો. ચેક બેંકમાં જમા કરાવતા ‘ફંડ ઇનસફીસીયન્ટ’ નાં શેરા સાથે પરત ફરેલ. તેથી ફરીયાદી વેપારીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની ફોજદારી…
Mumbai, તા.16 મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા 54 લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઇ રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.અકસ્માતમાં ઇજાગ્રસ્ત 42 લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં…
Gandhinagar, તા.16 ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે આ જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના…
Jammu and Kashmir, તા.16 જમ્મુ-કાશ્મીરના GDP આરઆર સ્વેને સોમવારે ઘાટીની પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, મુખ્યધારાની રાજકીય પાર્ટીઓએ આતંકી નેતાઓને તૈયાર કર્યા જેથી તેઓ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે, અહીં પાર્ટીઓએ વોટ મેળવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. એક ન્યૂઝ એજન્સીએ DGPનો હવાલો આપતા જણાવ્યું કે, ઘાટીમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પર્યાપ્ત પુરાવા છે કે, ઘણા લોકોએ સસલાં સાથે દોડવાની અને…