- Nifty Future 24808 points very important level..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Junagadh: સગાઇ તુટી જતાં યુવાન દરિયામાં કુદયો,મોત
- Karismaના બાળકોની HCમાં અરજી,સંજય કપૂરની રૂ.30 હજાર કરોડની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો
- Gondal:ઓટો રીક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
- Break the fine : હેલ્મેટના નિયમનો અમલ જનજાગૃતિથી થશે : લોકરોષનો પડઘો
- Mata Vaishno Devi ની યાત્રા સ્થગિત રહેતા,હજારો પરિવારોની આજીવિકા જોખમમાં
- KBCમાં મહિલા સ્પર્ધકે બિગ.બી.સાથે `ઓનએર ફલર્ટ’ કર્યુ
Author: Vikram Raval
મ્યુચ્યુઅલ ફંડો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) વચ્ચેના અંતરને દૂર કરવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ન્યુનતમ રૃ.૧૦ લાખના રોકાણ સાથેનો નવો એસેટ ક્લાસ અથવા પ્રોડક્ટ કેટેગરી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા એસેટ ક્લાસ હેઠળ લઘુતમ રોકાણ રોકાણકાર દીઠ રૃ.૧૦ લાખ સૂચવવામાં આવ્યું છે. નવા એસેટ ક્લાસમાં રોકાણકારોને ઉચ્ચ જોખમ લેવાની ક્ષમતા અને મોટી ટિકિટ સાઈઝ સાથેની રેગ્યુલેટેડ રોકાણ પ્રોડક્ટ પૂરી પાડે એવી શકયતા છે. જેનો ઉદ્દેશ અનરજીસ્ટર્ડ અને અનિધિકૃત રોકાણ પ્રોડક્ટસના પ્રસારને અંકુશમાં લેવાનો છે એમ મૂડી બજાર નિયમનકારે જણાવ્યું છે. પ્રસ્તાવિત નવા એસેટ ક્લાસ-વર્ગ રોકાણકારોની ઉભરતી કેટેગરીની જરૃરીયાતોને પહોંચી…
ભારતમાં હોમ લોન માર્કેટનું કદ આગામી પાંચ વર્ષમાં હાલના સ્તરેથી બમણાથી વધુ જોવા મળવાની ધારણાં છે. આગામી દાયકામાં મોરગેજમાં પંદર ટકાના દરે વધારો થવાનો અંદાજ છે. સાનુકૂળ લોકસંખ્યા, આવક સ્તરમાં વૃદ્ધિ, રહેઠાણની અછત તથા પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સરકારની યોજનાને જોતા હાઉસિંગ લોન માટેની માગમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે એમ બ્રોકરેજ પેઢી નોમુરાએ જણાવ્યું હતું. અમારા અંદાજ પ્રમાણે હાઉસિંગ લોન ઉદ્યોગ આગામી એક દાયકામાં ૧૪થી ૧૫ ટકાના દરે વિકાસ પામવાની શકયતા છે જેને કારણે બજારનું કદ પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ જોવા મળશે, નોમુરાના રિપોર્ટમાં જણાવાયું છે. છેલ્લા એક દાયકામાં વ્યક્તિગત હાઉસિંગ લોનના બાકી પડેલા આંકમાં…
સામાન્ય બજેટ 2024ની અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી મંગળવારે (16 જુલાઈ) પરંપરાગત હલવા સમારોહની ઉજવણી કરી, જે બજેટની તૈયારીના છેલ્લા તબક્કાની શરૂઆતને ચિહ્નિત કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સામાન્ય બજેટ (Union Budget) રજૂ કરશે. આવી સ્થિતિમાં બજેટ વિષે બંધારણ શું કહે છે અને સરકાર તેને રજૂ કરવા માટે શું તૈયારીઓ કરે છે તે જાણીએ. બજેટ શબ્દની ઉત્પત્તિ? સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે…
Mumbai , તા.18 ૪જૂનના લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના સ્ટોકસમાં નીકળેલી નવેસરથી લેવાલીને પરિણામે એક મહિનાથી થોડાક વધુ સમયમાં સરકારી ઉપક્રમોના સ્ટોકસે માર્કેટ કેપમાં રૂપિયા ૧૨ લાખ કરોડનો ઉમેરો કરાવ્યો છે. ૨૦૨૪ની અત્યારસુધીની વાત કરીએ તો આ સ્ટોકસની માર્કેટ વેલ્યુમાં રૂપિયા ૨૨.૫૦ લાખ કરોડનો વધારો થયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. પોતાના માળખાકીય પ્રોજેકટસ માટે કેન્દ્ર સરકાર વધુ પડતી કામગીરી સરકારી ઉપક્રમો મારફત પાર પાડવાનો વ્યૂહ ધરાવે છે, જેને પરિણામે રેલવેસ, પોર્ટસ, માર્ગ બાંધકામ, સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીના સ્ટોકસમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર આકર્ષણ જોવા મળી રહ્યું છે. જો કે ઊંચા ભાવને જોતા સરકાર જાહેર…
વાયદા બજારમાં વધતા રિટેલ ભાગીદારીને કાબૂમાં લેવા માટે સેબીની એક સમિતિએ લોટ સાઈઝ ૫ લાખ રૂપિયાથી વધારીને ૨૦-૩૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કર્યા બાદ હવે એસએમઈ સેગમેન્ટમાં પણ રિટેલ રોકાણકારોના ધસારાને કાબૂમાં લેવા માટે સેબી આકરા પાણીએ આવી શકે છે. મોટી માછલીઓની રમતમાં નાના રોકાણકારો છેતરાઈ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર કરવા સેબી હવે એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝને વધારીને રૂ. ૫ લાખ સુધી કરી શકે છે. ગત સપ્તાહે જ એસએમઈ આઈપીઓ માટે ફ્રેન્ઝી બનેલા, નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના પ્રારંભિક જાહેર ભરણામાં ભાવ વધારાને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ…
Maharastra, તા.18 મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને…
Uttar Pradesh, તા.18 22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાંવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય. વેપારી-ધંધાર્થી મજબૂર થયા! મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાનો આશરે 240 કિલોમીટરનો રુટ છે. એટલા માટે આ જિલ્લો મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોત-પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ…
New Delhi તા.18 NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે (18મી જુલાઈ) થનારી સુનાવણી પહેલા સીબીઆઈએ મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. આ ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો…
Gandhinagar, તા.18 ગુજરાતમાં વરસાદનુ જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (18મી જુલાઈ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 19 જુલાઈના રોજ કચ્છ, જામનગર,…
Maharastra, તા.18 શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે. આરએસએસ દ્વારા મોટો દાવો કરાયો આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી. લોકસભામાં ભાજપને થયું મોટું નુકસાન ઉલ્લેખનીય છે કે…