Author: Vikram Raval

Ahmedabad, તા.૨૨ સીંગતેલ જૂના       ૨૬૦૦   – સીંગતેલ નવા        ૨૭૦૦   ૨૭૮૦ કપાસિયા જુના      ૧૬૮૦   – કપાસિયા નવા       ૧૮૦૦   ૧૮૬૦ સોયાબીન જૂના     –           – સોયાબીન નવા      ૧૭૫૦   ૧૮૫૦ દીવેલ     ૨૦૫૦   – પામોલિન જુના     ૧૫૨૦   ૧૬૦૦ પામોલિન નવો      ૧૬૦૦   – કોપરેલ    ૨૬૦૦   – વનસ્પતિ ઘી         ૧૭૦૦   ૧૮૨૦ સરસીયુ મોળુ        ૧૯૫૦   – સરસીયુ તીખુ        ૨૦૯૦   – સનફલાવર           ૧૬૩૦   ૧૭૦૦ મકાઈ તેલ            ૧૬૫૦   – તિરૂપતિ ૫ લીટર    ૫૮૦     ૬૧૫ સિંગતેલ ૫ લીટર   ૮૩૦     ૮૫૦

Read More

બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બન્યું હતું Gandhinagar, તા.૨૨ બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલાતમ પરત આવી ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બનતા બાંગ્લાદેશમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાત સહિત અન્ય રાજ્યો અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પોતપોતાના રાજ્ય કે દેશમાં પરત જઈ રહ્યા છે. જોકે, ગઈકાલે ૨૧ જુલાઈએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામત વધારવાનો હાઈકોર્ટનો ચુકાદો રદ કરી દેતાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને…

Read More

Vadodara , તા.૨૨ નર્મદાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આજે વડોદરા આવી પહોંચ્યા હતા. ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર…

Read More

New Delhi, તા.૨૨ NCERTએ ધોરણ-૬ માટે સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તકમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ કરાયો છે. વધુમાં જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાનો ઉલ્લેખ કરાયો નથી તેમજ બાબા સાહેબ આંબેડકરના અનુભવોના સંદર્ભ બદલી નાંખવામાં આવ્યા છે, જેના કારણે ભારે વિવાદ સર્જાવાની શક્યતા છે. NCERTના સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સના નવા પાઠયપુસ્તક મુજબ ગ્રીનવિચ મધ્યરેખાના ઘણા સમય પહેલાં ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી, જેને ’મધ્ય રેખા’ કહેવાતી હતી અને તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી પસાર થતી હતી. નવા પાઠયપુસ્તક મુજબ હાલમાં પૃથ્વીની મધ્ય રેખા ગણાતી ગ્રીનવિચ ભૂમધ્ય રેખા પહેલી પ્રધાન મધ્યરેખા નથી.…

Read More

કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી અને ૪૩ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જેલમુક્તિની મંજૂરી મળી Washington, તા.૨૨ ગુનેગારોને સજા કરવી એ સારી બાબત છે. પરંતુ કોઈપણ ગુના કર્યા વિના જેલમાં તમારું અડધું જીવન વિતાવવું એ ભયાનક અનુભવથી ઓછું નથી. આ શ્રેણીમાં એક નામ છે સાન્દ્રા હેમનું. ૬૪ વર્ષની સાન્દ્રા ૪૩ વર્ષથી જેલના સળિયા પાછળ હતી. તે પણ એવા ગુના માટે કે જે તેણે ક્યારેય કર્યો જ નથી. ૨૦ વર્ષની ઉંમરે સાન્દ્રાને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી અને સાન્દ્રાને ૪૩ વર્ષ જેલમાં વિતાવવા પડ્યા. સાન્દ્રા હવે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. અલબત્ત સાન્દ્રા જેલના સળિયા…

Read More

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી New Delhi, તા.૨૨ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી. તેમના આ નિવેદન બાદ હવે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ’આ અધિકાર ભારત સરકારનો છે, રાજ્ય સરકારનો નથી.’ નોંધનીય છે કે, રવિવારે (૨૧મી જુલાઈ) મમતા બેનરજીરએ કહ્યું હતું કે, ’બાંગ્લાદેશી નાગરિકો માટે પશ્ચિમ બંગાળના દરવાજા ખુલ્લા રાખશે. જેને શરણ જોઈએ છે તેને આવકારશે.’ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે,’બંધારણ અનુસાર આ અધિકાર ભારત સરકારનો છે રાજ્ય સરકારનો નહીં. મમતા…

Read More

મને અંગત રીતે મુસ્લિમ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ હતું કારણ કે ત્યાં સ્વચ્છતા વધુ જોવા મળતી હતી : જસ્ટિસ ભાટી New Delhi, તા.૨૨ સુપ્રીમ કોર્ટે કાંવડ માર્ગ પર દુકાનદારોના નામ લખવાના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ આ પ્રકારના આદેશ આપ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસવી ભાટીએ તેનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે તેઓ પોતે કેરળમાં મુસ્લિમ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે છે. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના તે આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં કાંવડ માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોના નામ લખવાનો આદેશ…

Read More

સાવન એ હિંદુ કેલેન્ડરના સૌથી શુભ મહિનાઓમાંનો એક છે, શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ છે New Delhi, તા.૨૨ ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા સાવન અથવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. સાવન એ હિંદુ કેલેન્ડરના સૌથી શુભ મહિનાઓમાંનો એક છે. શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ છે. આ દિવસને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકોનું માનવું છે કે શ્રાવણ મહિનામાં સોમવારે જલાભિષેક કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ કાશી વિશ્વનાથ, બાબા વૈદ્યનાથ અને ઉજ્જૈન મહાકાલના દર્શન અને પૂજાની વિશેષ માન્યતા છે. શવનના પ્રથમ સોમવારે વારાણસીના…

Read More

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો New Delhi, તા.૨૨ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં સ્થિત દેવી-દેવતાઓની સેવા અને પૂજાના મામલામાં સુપ્રીમ કોર્ટ ૨૩ જુલાઈએ સુનાવણી કરશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વ્યાસ જીના ભોંયરામાં પૂજા સામે મસ્જિદ બાજુની અરજી પર કોર્ટે ટ્રાયલ કોર્ટના અરજદાર શૈલેન્દ્ર વ્યાસને નોટિસ પાઠવી હતી. કાશીના જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં સ્થિત દેવી-દેવતાઓની સેવા અને પૂજાના મામલામાં સુપ્રીમ કોર્ટ ૨૩ જુલાઈ, મંગળવારના રોજ સુનાવણી કરશે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચ આ…

Read More

આજકાલ, શોબિઝના કોરિડોરમાં કલાકારોની ટીમ અને કર્મચારીઓ પરના ખર્ચની ફિલ્મના બજેટ પરની અસરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે Mumbai, તા.૨૨ આજકાલ, શોબિઝના કોરિડોરમાં કલાકારોની ટીમ અને કર્મચારીઓ પરના ખર્ચની ફિલ્મના બજેટ પરની અસરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. દરેક અભિનેતા અને નિર્માતા આ અંગે ખુલીને વાત કરી રહ્યા છે. જ્યારે કરીનાની ૧૦ થી ૧૫ કરોડ રૂપિયાની ફી વિશે ચર્ચા થઈ હતી, ત્યારે અભિનેત્રીએ તેનો ઇનકાર કર્યો ન હતો પરંતુ શરમાઈને કહ્યું હતું કે આવું વારંવાર થતું નથી, કેટલીકવાર તે ખૂબ ઓછી ફી પણ લે છે. બોલિવૂડની ‘પૂ’ એટલે કે કરીના કપૂર એક ફિલ્મ માટે ૧૦ થી ૧૫ કરોડ…

Read More