- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
Author: Vikram Raval
Mumbai,તા.20 હરભજન સિંહે શુક્રવારે પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરને એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તુલના કરવા પર ફટકાર લગાવી. હરભજને કહ્યું કે જો રિઝવાનને પણ કોઈ પૂછશે તો તે ધોનીનું જ નામ લેશે. પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરે શુક્રવારે સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તસવીર શેર કરીને પૂછ્યું કે આ બંનેમાંથી કોણ સારું છે. જેની પર હરભજન સિંહ પોતાને રોકી શક્યા નહીં અને તેને શ્રેષ્ઠ ખેલાડી વિશે સારી રીતે જણાવ્યું. પાકિસ્તાનના ઈન્ફ્લુએન્સરે એક્સ પર પૂછ્યું, એમએસ ધોની કે મોહમ્મદ રિઝવાન? કોણ શ્રેષ્ઠ છે? મને ઈમાનદારીથી જણાવો. તેનો જવાબ આપતાં હરભજન સિંહે કહ્યું, આજકાલ શું ફૂંકી રહ્યાં છો? કેવો મૂર્ખતાભર્યો સવાલ છે?…
Mumbai,તા.20 T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફાર T20 ટીમમાં જોવા મળ્યો છે. રોહિત, કોહલી અને જાડેજાએ સંન્યાસ લીધા બાદ ઝીમ્બાબ્વે પ્રવાસ પર T20 સીરિઝ રમનારી ટીમમાં મોટો ફેરફાર કરાયો છે. ભારતીય ક્રિકેટ ટીમનું શ્રીલંકા પ્રવાસનું એલાન થઈ ગયું છે. T20 પ્રવાસ માટે સૂર્યકુમારને ટીમની કમાન સોંપવામાં આવી છે અને શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવ્યા છે. બીજી તરફ વન ડે ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે અને તેમાં પણ શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનારી ટીમ…
Mumbai,તા.20 મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી. શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ…
Mumbai,તા.20 શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમનું સુકાન હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને સોપાયું છે. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યમાં મૂકી ગયા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે હાર્દિક પંડ્યાના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે હાર્દિકની જગ્યાએ યુવા બેટર શુભમન ગિલને T20 અને વનડેનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય ઘણાં સવાલો ઉભા કરે છે, કારણ કે T20 વર્લ્ડકપ 2024ની જીતમાં હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન હતો. મોહમ્મદ કેફે શું કહ્યું? કેફે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હાર્દિકને T20 ટીમની…
Mumbai,તા.20 ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાને પણ જગ્યા મળી છે. પરંતુ તેને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ આપવામાં આવી નથી. અગાઉ T20 વર્લ્ડકપમાં તે વાઇસ કેપ્ટન હતો પરંતુ હવે તેને હટાવવામાં આવતા કેટલાક ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં કેપ્ટન બનનાર શુભમન ગિલને હવે બંને ફોરમેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. આ નિર્ણય બાદ હાલમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરને કેટલાક ક્રિકેટ ચાહકો ટાર્ગેટ કરી રહ્યા છે. એક જૂના ઈન્ટરવ્યુને લઈને ફેન્સ ગંભીરને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો…
Mumbai,તા.20 રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત બાદ ભારતીય ક્રિકેટમાં નવા કેપ્ટન માટે હલચલ વધી થઈ ગઈ છે. આગામી શ્રીલંકા પ્રવાસ માટે સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે બધાની નજર શુભમન ગિલ પર પણ છે. ગિલને T20 જ નહીં પરંતુ વનડે માટે પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ શું એ કહેવું યોગ્ય રહેશે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગિલને ભારતીય ટીમના આગામી કેપ્ટન તરીકે વિચારી રહ્યા છે. રોહિત પાસેથી ગિલ ઘણું શીખી શકે ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ એવું જણાઈ રહ્યું છે કે શુભમન ગિલના સારા દિવસો શરુ થઇ…
Haryana તા.20 હરિયાણામાં યમુનાનગર સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા કાળા નાણાંની તપાસ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે શનિવારે કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ કરતાં ખળભળાટ મચ્યો છે. ઈડીએ હરિયાણાના ધારાસભ્યો અને તેમના સહયોગીના ઘરે દરોડા પાડી પૂછપરછ માટે ધરપકડ કરી હતી. ઈડીએ રાજકરણીઓની ધરપકડ કરી ઈડીએ સોનીપતમાંથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જાન્યુઆરીમાં ઈડીએ સોનીપતમાં પંવાર અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા પરિસરો, કરનાલમાં ભાજપ નેતા મનોજ વાધવાના નિવાસ સ્થાને અને યમુનાનગર જિલ્લામાં ઈનેલો ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેના સહયોગીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ દિલબાગ સિંહની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ…
New Delhi તા.20 લોકસભા ચૂંટણી 2024માં લક્ષ્યથી ચૂકી ગયા બાદથી ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. તેની પાસે હવે બહુમત નથી. ત્યારે આગામી 4 રાજ્યોમાં હવે વિધાનસભા ચૂંટણી નજીક છે. આ દરમિયાન કઈ રણનીતિ અપનાવવી એ ભાજપ માટે પડકાર બની ગયો છે. ભાજપ તેના આક્રમક અને સંતુલિત ચૂંટણી અભિયાનને લઈને મુંઝવણમાં છે. ભાજપ મુંઝવણમાં! એક વર્ગનું માનવું છે કે હાલના સમયે વિપક્ષના દબાણ હેઠળ આવવાની જગ્યાએ પાર્ટીએ અગાઉની જેમ જ તેનું આક્રમક અભિયાન ચાલુ રાખવું જોઇએ. જોકે આ વ્યૂહનીતિથી નુકસાન થવાની પણ આશંકા છે કેમ કે વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. માં સામેલ પક્ષોમાં વિરોધાભાસ છતાં ભાજપવિરોધી સૂર તો એક જેવા જ છે.…
Russia તા.20 શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માઈક્રોસોફ્ટના સર્વરે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટર બંધ થઇ ગયા હતા. આ સર્વર ઠપ થતા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશોમાં અરાજકતા સર્જાઈ હતી. વિશ્વભરમાં 2 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ હતી. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ…
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં તમામ ૧૧ દોષિતોની સજાની માફીને રદ કરી દીધી હતી New Delhi,તા.૧૯ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં તમામ ૧૧ દોષિતોની સજાની માફીને રદ કરી દીધી હતી. આ પછી, બે દોષિતોએ આ નિર્ણયને પડકાર્યો, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. હવે ગુનેગારોએ તેમની અરજી પાછી ખેંચી લીધી છે. આ કેસમાં દોષિતો ભગવાન દાસ શાહ અને રાધેશ્યામ પાસે હજુ પણ ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. બંને દોષિતોએ આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, એવી દલીલ કરી હતી કે એક જ ન્યાયાધીશોની બે બેન્ચે ગુજરાત સરકારના નિર્ણય પર જુદા જુદા મંતવ્યો લીધા…