Author: Vikram Raval

New Delhi, તા.18 સુપ્રીમ કોર્ટેમાં આજે (18 જુલાઈ) NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરિતિ આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે NTAને NEET-UGના તમામ વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22મી જુલાઈએ થશે. કોર્ટે શનિવાર બપોર સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા કહ્યું સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો છે કે NEET-UGના તમામ વિદ્યાર્થીઓના પરિણામો શહેર અને કેન્દ્ર મુજબ શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન અપલોડ કરવામાં આવે. કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કરી…

Read More

Gujarat , તા.18 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરના કારણે આજે (18મી જુલાઈ) 3 બાળકોના મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં બે અને પંચમહાલમાં 1 બાળકનું મોત નીપજતા મૃત્યુ આંક કુલ 21 થયો છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ ગઈ છે. જેને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ગંભીર જોતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા…

Read More

Uttar Pradesh, તા.18 ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી  પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં. ટ્રેન ઉભી રહેતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે. એસડીઆરએફની 3 ટીમ બચાવ કામગીરી…

Read More

વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેનો જન્મ દિવસ એટલે વ્યાસ પુર્ણિમાનો દિવસ. – ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ, આર્યધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા છે. વ્યાસજી દૈવી શક્તિ સંપન્ન, મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક તત્વદ્રષ્ટા અને કૃષ્ણભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા. – વેદવ્યાસ તેની માતાનાં આર્શિવાદ લઈ જંગલમાં તપશ્ચર્યા માટે ચાલ્યા જાય છે અને વચન આપતા જાય છે કે જ્યારે તે બોલાવશે ત્યારે તેની પાસે આવી જાય છે. વેદોની રચના કરનારા હોવાથી તેઓ ‘વેદ વ્યાસ’ તરીકે પ્રસિદ્વ થયા તેઓ ઐતિહાસિક મહા પુરુષ હતા. વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેનો જન્મ દિવસ એટલે વ્યાસ પુર્ણિમાનો દિવસ. વેદ વ્યાસને ચાર…

Read More

ભગવાન મહાવીરનો સાધનાકાળ એ જગતમાં એક અનેરો સાધનાકાળ ગણાય છે. બાર વર્ષ અને તેર પક્ષની આ લાંબી અવધિ દરમિયાન ભગવાન સામે અનેક ઉપસર્ગો આવ્યાં, પરંતુ તેઓ આ ઉપસર્ગો સામે સર્વદા શાંત રહ્યા. એમણે કોઈ પણ વખત કોઇનાય પ્રત્યે દ્વેષ કે રોષ કર્યો નથી. એથીયે વિશેષ પોતાને આવા ઉપસર્ગો આપનાર વિરોધીઓ પ્રત્યે પણ એમના હૃદયમાં સ્નેહનો સાગર ઉભરાતો હતો. ક્યાંક પદે પદે આ સાધનાકાળમાં ઉપસર્ગો આવ્યાં. વરસતા વરસાદમાં, કારમી ઠંડીમાં, બાળી નાખનારા તડકામાં કે પછી ભયાનક આંધી અને તોફાનમાં પણ યોગી મહાવીરનો સાધના દીપક સતત ઝગમગતો રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ સહુ કોઈ દ્વારા ભીષણ કષ્ટ આપવા છતાં એમણે મનથી…

Read More

અષાઢ મહિનાની સુદ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. આ પૂર્ણિમાને દિવસે ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટય થયું. જેમણે વેદોને વ્યવ સ્થત કર્યા. ચાર વેદ ચાર શિષ્યોને ભણાવ્યા. અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ઋગ્વેદ એ પૈલ ઋષિને ભણાવ્યો, સામવેદ એ જૈમિની ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ એ વૈષમ પાયન ઋષિને ભણાવ્યો. આપણા ૧૮ પુરાણો અને મહાભારત તેની રચના પણ ભગવાન વેદવ્યાસજીએ જ કરી. માટે વિદ્વાનો એવું માને છે કે, વ્યાસોચ્છીષ્ટમ જગત સર્વમ. જે કંઈ બોલાય છે એ વ્યાસજીનું જ ઉચ્છીષ્ટ છે. જ્યારે કથા કરવા માટે પણ કોઈ વક્તા પીઠ ઉપર બેસે છે ત્યારે તે પીઠનું નામ પણ વ્યાસપીઠ જ રહ્યું છે. યુગો બદલાયા, સદીઓ…

Read More

એક સંત. અત્યંત પ્રભુભક્ત. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા જોરદાર. ગમે તેવી ઘટનામાં પણ તેમની શ્રદ્ધામાં હાનિ ના થાય. એકવાર તેઓ અનેક યાત્રિકો સાથે જહાજમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક જહાજ હાલક-ડોલક થવા લાગ્યું. સમુદ્રમાં મોજા જોર-જોરથી ઉછળવા લાગ્યા. મોજાનું પાણી ઉછળી-ઉછળીને જહાજમાં ભરાવા લાગ્યું. જહાજ ક્યારે ડુબી જશે તે કંઈ જ કહી શકાય તેવું ન હતું. જહાજમાં બેસેલા સૌ યાત્રિકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! તું અમને બચાવી લે. અરે, જહાજમાં કેટલાક નાસ્તિકો પણ બેઠા હતા. તે પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ! મૃત્યુ સામે દેખાય ત્યારે તો સૌ ભગવાનને માનવા જ લાગે ને ! સંત એ…

Read More

મનુષ્યના કર્મો જ છે. પોતે કરેલાં કર્મોના આધારે જ તેની સદગતિ કે દુર્ગતિ થાય છે. સારાં કર્મો કરવાથી માણસ પુણ્યનો સંચય કરે છે જ્યારે ખરાબ કર્મોથી તે પાપનાં પોટલાં બાંધે છે. જીવનમાં પુણ્યકર્મોના ઉદયથી માણસ સફળતા, યશ વગેરે પ્રાપ્ત કરે છે જ્યારે પાપકર્મોનો ઉદય થવાથી તેને અપયશ, નિષ્ફળતા, રોગ તથા પીડા ભોગવવા પડે છે. આ સંસારમાં કરેલાં સારાં કે ખરાબ કર્મોનું ફળ તરત જ મળી જાય એવું બનતું નથી. માણસ કર્મ તો કરે છે, પરંતુ તેનું ફળ ક્યારે મળશે તે સમય નક્કી કરે છે. તેથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે – તારો અધિકાર કર્મ કરવામાં જ છે, તેના…

Read More

પેરિસમાં તારીખ 26મી જુલાઈથી શરૂ થઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના કુલ મળીને 117ખેલાડીઓ જુદી- જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ભારતીય ઓલિમ્પિક સંઘે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા 110 ખેલાડીઓ અને સાત રિઝર્વ ખેલાડીઓ એમ કુલ મળીને 117 ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય દળમાં કુલ 257 સભ્યો ભારતે એથ્લેટિક્સ, હોકી અને ટેબલ ટેનિસમાં રિઝર્વ ખેલાડીઓને પણ પેરિસ મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભારતની ઓલિમ્પિકની સત્તાવાર ટીમમાં 140 કોચીસ, સપોર્ટ સ્ટાફ અને ઓફિશિઅલ્સનો પણ સમાવેશ થશે. આમ, પેરિસ ઓલિમ્પિકમાં જનારા ભારતીય દળમાં કુલ 257 સભ્યો હશે. આભા ખાતુનનુ નામ ગાયબ ભારત મહિલા ગોળા ફેક ખેલાડી આભા ખાતુને વર્લ્ડ…

Read More

New Delhi, તા.18 ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં સરહદી વિસ્તારમાં LOC પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આર્મીના 6 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના SOG જવાનોએ આ ઓપરેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હવામાન સુરક્ષા દળો માટે પડકારજનક  ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારો ધુમ્મસથી ઘેરાયેલા છે. આ હવામાન પણ સુરક્ષા દળો માટે એક પડકાર છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર ડોડામાં પણ સોમવારથી આતંકીઓને શોધીને તેનું એન્કાઉન્ટર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે ગોળીબાર…

Read More