- ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- Trump ની ઝેલેન્સ્કીને ધમકી! કહ્યું-‘તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો,નહીંતર જેલમાં જાઓ’
- Brazil માં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
- Pakistan માં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા
- Delhi-Mumbai Expressway વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો
- Pakistan માં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ
- Dubai Air Show માં પ્રદર્શન દરમિયાન ભારતીય ફાઈટર પ્લેન તેજસ થયું ક્રેશ
- Tariff પર વિવાદનો અંત? અમેરિકાએ કહ્યું- ટૂંક સમયમાં જાહેરાત
Author: Vikram Raval
Himmatnagar,તા.૧૯ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે ચાંદીપુરા વાઇરસને લઈને નિરીક્ષણ કર્યુ છે. તેમણે અધિકારી અને ડોક્ટર સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેની સાથે તેણે પીઆઇસીયુમાં દાખલ થયેલા બાળ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સાબરકાંઠા જિલ્લાની કરી મુલાકાત કરી છે. આરોગ્ય મંત્રીશ્રીએ હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય પૃચ્છા કરી હતી. વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને…
ભ્રષ્ટાચાર અને પક્ષની શિસ્ત ભંગ કરવાને કારણે ઘણા સભ્યો સેન્ટ્રલ કમિટિમાંથી બહાર ફેંકાઈ ગયા હતા China, તા.૧૯ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગુરુવારે તેની સેન્ટ્રલ કમિટિમાંથી બરતરફ કરાયેલા વિદેશ મંત્રી ‘કિન ગેંગ’નું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સિવાય પાર્ટીએ પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ અને અન્ય બે ટોચના નેતાઓને હટાવવાનું પણ સમર્થન કર્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ગુરુવારે પાર્ટી દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત આ ચાર દિવસીય બેઠકમાં કોમરેડ કિન ગેંગનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ગયા વર્ષે, ‘કિન’ વિદેશ પ્રધાન હતા ત્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ તેમને આ…
વિવેકે જણાવ્યું કે જ્યારે તે ૧૦ વર્ષનો હતો ત્યારે તેના પિતા તેને વેપારી સામાન લાવતા હતા અને તેને વેચવાનું કામ આપતા હતા Mumbai, તા.૧૯ વિવેક ઓબેરોયે ૨૦૦૨માં ફિલ્મ ‘કંપની’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કરિયરની શરૂઆતમાં ‘સડક’, ‘યુવા’ અને ‘દમ‘ જેવી ફિલ્મો કરી ચૂકેલા વિવેકને બોલિવૂડનો આગામી મોટો સ્ટાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં વિવેકે મેઈનસ્ટ્રીમ બોલિવૂડ ફિલ્મોથી દૂર જવાનું શરૂ કર્યું. આજકાલ વિવેક એક્ટર કરતાં ઉદ્યોગસાહસિક તરીકે વધુ સક્રિય છે.હવે એક નવા ઈન્ટરવ્યુમાં વિવેકે જણાવ્યું છે કે તે ૧૦ વર્ષનો હતો ત્યારે બિઝનેસમેન બની ગયો હતો અને તેમાં તેના પિતાની મોટી ભૂમિકા હતી. તમને જણાવી દઈએ કે,…
જાન્હવી ઉપરાંત આ ફિલ્મ સાથે ‘દસરા’થી જાણીતા શ્રીકાંત ઓડેલા પણ ફરી એક વખત નાની સાથે કામ કરશે Mumbai, તા.૧૯ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર નાનીની ૩૩મી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે જાન્હવી કામ કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હાલ હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી તેથી આ ફિલ્મને હાલ ‘નાની૩૩’થી ઓળખવામાં આવે છે. જો આ અહેવાલો સાચા હોય તો જાન્હવી અને નાની પહેલી વખત સાથે જોવા મળશે. સાથે ઓડિયન્સ માટે આ ફિલ્મ પ્રોમિસિંગ હોવાની સાથે ળેશ અને એક્સાઇટિંગ પણ હશે. હજુ આ ફિલ્મના મેકર્સ તરફથી પણ કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી. પરંતુ તેલુગુ અખબારોના કહેવા…
સાઉથની ચારેય ભાષામાં હિટ ફિલ્મો આપનારી સંયુક્તાનું ‘મહારાજ્ઞી’ સાથે હિન્દીમાં ડેબ્યુ Mumbai, તા.૧૯ સાઉથની ચારેય ભાષામાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી સંયુક્તાની પહેલી હિન્દી ફિલ્મ મહારાજ્ઞી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં સંયુક્તાની સાથે કાજોલનો લીડ રોલ છે. કાજોલ પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું સંયુક્તા માને છે. આ સાથે તે ફિલ્મનું શૂટિંગ સરળ બનાવવા બદલ કાજોલનો આભાર પણ માને છે. સંયુક્તાની છેલ્લી તેલુગુ ફિલ્મ વિરુપાક્ષ બ્લોકબસ્ટર રહી હતી. તેની આગામી હિન્દી ફિલ્મ કાજોલ છે. આ ફિલ્મમાં રાંકમાંથી રાજા બનવા સુધીની સ્ટોરી છે. પહેલી હિન્દી ફિલ્મમાં કાજોલ સાથે સ્ક્રિન શેર કરવાના અનુભવ અંગે સંયુક્તાએ જણાવ્યુ હતું કે, કાજોલની ફિલ્મો જોતાં…
‘શબદના રંગારા’માં સૌમ્ય જોષી, આદિત્ય ગઢવી અને અચિંત ઠક્કર સાથે ફાલ્ગુની પાઠકનો સંગીત જલસો Ahmedabad, તા.૧૯ દાંડિયા ક્વિન તરીકે ઓળખાતાં ફાલ્ગુની પાઠકે પહેલી વખત ગુજરાતી રેપ સોન્ગ પર હાથ અજમાવ્યો છે. ગુજરાતી રેપ સોન્ગ ‘ ગોતી લો…ખલાસી’ને દુનિયાભરના ગુજરાતીઓની જીભે રમતું કરી દેનારી ત્રિપુટી સાથે મળીને ફાલ્ગુનીએ ‘શબદના રંગારા’માં પ્રથમ વખત રેપ સોન્ગ ગાયું છે. અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે ફાલ્ગુનીએ તેમનાં સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક આપ્યો છે. ફાલ્ગુની પાઠક તેમનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે, જ્યારે આદિત્ય ગઢવી ગુજરાતી અવાજનો લોકપ્રિય ચહેરો છે. સૌમ્ય જોષીએ નવી અને જૂની પેઢીની સંવેદનાને ખૂબ સહજતાથી ઝણઝણાવી જાય…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૪૩ સામે ૮૧૫૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૯ સામે ૨૪૭૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૦૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.795 અને ચાંદીમાં રૂ.1,882નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.76નો ઘટાડો કોટન-ખાંડી વાયદો રૂ.250 નરમઃ મેન્થા તેલ, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14,909 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,196 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10.14 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.54,115.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,908.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39196.31 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડ વાવે છે અને રોજ પૂજા કરે છે. તુલસીનો છોડ ઘર અને તેમાં રહેતા લોકોને દરેક આફતથી પણ બચાવે છે. ભારતમાં તુલસીના છોડની પૂજાનું અનેરૂ મહત્વ છે પરંતુ, શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ અશુભ મનાય છે. તો આવો જાણીએ કઇ વસ્તુઓ…
New Delhi, , તા.19 માઈક્રોસોફ્ટ સર્વર ઠપ થતા તમામ આઈટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા. આ ઉપરાંત દુનિયામાં ઘણાં એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની ક્લાઉડ સેવાઓમાં મોટી ખામીને કારણે ભારતમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘IT મંત્રાલય આ મામલે માઈક્રોસોફ્ટ અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે. આ ખરાબીનું કારણ નક્કી કરવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ્સ રિલીઝ કરવામાં આવ્યા છે.’ અમેરિકામાં 200થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે,…
