- Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
- બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
- સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
- Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
- ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
- એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
- Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
- Amreli : ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલા તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી LCB ટીમ
Author: Vikram Raval
Valsad,તા.૨૨ વલસાડના મોગરાવાડીમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. મોગરાવાડીમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળ પર પંહોચી. દિવાલ ધરાશાયી થતા વાહનોનો નીચે ચગદાયા. આ ઘટનામાં બે કાર અને ત્રણ બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો. બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર, નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું આંકલન કર્યું. જો કે આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મોગરાવાડીમાં વરસાદી પાણીના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હોવાનું અનુમાન છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા અનેક મકાનોની દિવાલોમાં તિરાડો પડે છે. ખાસ કરીને ખાનગી આવાસો કે જે જર્જરીત અવસ્થામાં છે…
Ahmedabad,તા.૨૨ દરિયાપુરમાં નાની હવેલીમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ ૨૨ જુલાઈ ૨૦૨૪ના રોજ અહીં દરોડો પાડીને દારૂનો જથ્થો અને ૩ વાહન મળીને કુલ રૂ.રૂ.૩,૨૮,૬૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એસએમસીના અધિકારીઓએ દરિયાપુર વોર્ડ જેપી સ્કૂલની સામે દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે જ દરોડો પાડ્યો હતો. જેને પગલે આરોપીઓ ભાગી ગયા હતા. અહીંથી પોલીસે રૂ.૧,૭૮,૬૬૫ નો દારૂ અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. ૩,૨૬,૬૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દારૂનુ કટીંગ કરનારા રાજ ઉર્ફે નાનો દિલીપભાઈ પ્રજાપતિ, ત્રણ વાહનના માલિકો તથા દારૂનો જથ્થો મોકલનારા કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૦૪ સામે ૮૦૪૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૨૯ સામે ૨૪૪૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.116 અને ચાંદીમાં રૂ.846ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.56 લપસ્યું કોટન-ખાંડી વાયદામાં રૂ.80નો સુધારોઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11,530 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 38,698 કરોડનું ટર્નઓવર મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.50,229.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,530.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 38697.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,161ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,185 અને નીચામાં રૂ.72,800 ના મથાળે અથડાઈ, રૂ.116 ઘટી રૂ.72,874ના ભાવે…
Ahmedabad, તા.૨૨ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૭૦૦૦ ૮૯૦૦૦ રૂપુ ૮૬૮૦૦ ૮૮૮૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૪૦૦૦ ૭૫૫૦૦ સોનું (૯૯.૫) ૭૩૮૦૦ ૭૫૩૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૩૯૯૦ –
Ahmedabad, તા.૨૨ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૨૨ સીંગતેલ જૂના ૨૬૦૦ – સીંગતેલ નવા ૨૭૦૦ ૨૭૮૦ કપાસિયા જુના ૧૬૮૦ – કપાસિયા નવા ૧૮૦૦ ૧૮૬૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૫૦ ૧૮૫૦ દીવેલ ૨૦૫૦ – પામોલિન જુના ૧૫૨૦ ૧૬૦૦ પામોલિન નવો ૧૬૦૦ – કોપરેલ ૨૬૦૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૨૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૦૯૦ – સનફલાવર ૧૬૩૦ ૧૭૦૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૮૦ ૬૧૫ સિંગતેલ ૫ લીટર ૮૩૦ ૮૫૦
બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બન્યું હતું Gandhinagar, તા.૨૨ બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલાતમ પરત આવી ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બનતા બાંગ્લાદેશમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાત સહિત અન્ય રાજ્યો અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પોતપોતાના રાજ્ય કે દેશમાં પરત જઈ રહ્યા છે. જોકે, ગઈકાલે ૨૧ જુલાઈએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામત વધારવાનો હાઈકોર્ટનો ચુકાદો રદ કરી દેતાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને…
Vadodara , તા.૨૨ નર્મદાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આજે વડોદરા આવી પહોંચ્યા હતા. ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર…
New Delhi, તા.૨૨ NCERTએ ધોરણ-૬ માટે સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તકમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ કરાયો છે. વધુમાં જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાનો ઉલ્લેખ કરાયો નથી તેમજ બાબા સાહેબ આંબેડકરના અનુભવોના સંદર્ભ બદલી નાંખવામાં આવ્યા છે, જેના કારણે ભારે વિવાદ સર્જાવાની શક્યતા છે. NCERTના સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સના નવા પાઠયપુસ્તક મુજબ ગ્રીનવિચ મધ્યરેખાના ઘણા સમય પહેલાં ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી, જેને ’મધ્ય રેખા’ કહેવાતી હતી અને તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી પસાર થતી હતી. નવા પાઠયપુસ્તક મુજબ હાલમાં પૃથ્વીની મધ્ય રેખા ગણાતી ગ્રીનવિચ ભૂમધ્ય રેખા પહેલી પ્રધાન મધ્યરેખા નથી.…
