California,તા.18
ભારતના અવકાશયાત્રી કેપ્ટન શુભાંશુ શુકલાને લઈ જતા એકસીઓમ-4 મીશન ફરી એક વખત મુલત્વી રહ્યું છે અને હવે તે તા.19 ના બદલે તા.22ના રોજ રવાના થશે. અગાઉ હવામાનના કારણે અને બાદમાં તેનું લીકવીડ ઓકસીજન લીકેડ થતુ હોવાથી આ અવકાશયાનની ઉડાન મુલત્વી રહી હતી.
હવે તા.22ના રોજ કેનેડી સ્પેસ સેન્ટરથી તે રવાના થશે. આ અવકાશી સફરમાં ભારતના શુભાંશુ શુકલા ઉપરાંત હંગેરી, પોલેન્ડ અને અમેરિકી અવકાશયાત્રી પણ સ્પેસ લેબમાં જવાના છે અને તેઓ ત્યાં એક સપ્તાહ સુધી રોકાશે.
આ અવકાશયાનમાં નાસાના પુર્વ અવકાશયાત્રી પેગી વિત્સન જે સમગ્ર મીશનની શુકાન સંભાળી રહ્યા છે જયારે અન્ય તમામ ત્રણ અવકાશયાત્રીઓ પ્રથમ વખત અવકાશી સફર કરશે. એકસીઓમ મીશન-4 મારફત ભારતના અવકાશયાત્રીને સ્પેસ સ્ટેશનમાં રહેવાનો પ્રથમ વખત અનુભવ મળશે.