Ayodhya,તા.13
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ગઈકાલે એક વર્ષ પુરું થયું એ સમયે 9 વર્ષની વેદિકા રામલલ્લા જેવા પરિધાન સાથે અયોધ્યાના રામમંદિરમાં પહોંચી ત્યારે લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. વેદિકા પોતાને રામલલ્લાની હમશકલ માને છે. તે બિલકુલ રામલલ્લા જેવી દેખાય છે.
ગઈકાલે તેણે પોતાની કવિતા રજુ કરી હતી… રામ નામ કા ગૌરવ જીતા, સત્ય સનાતન સૌરવ જીતા જીત ગઈ ઘનઘોર પ્રતીક્ષા, જીત ગઈ ગીતા કી શિક્ષા કયા જીત હૈ અબકી બારી, કાશી મથુરા કી તૈયારી.
વેદિકાની મમ્મી દીક્ષા જાયસવાલે અપીલ કરી હતી કે, મમ્મી-પપ્પા તેમનાં બાળકોને કાર્ટુનના કેરેકટર બનાવીને તેમને હાસ્યનો વિષય ન બનાવે, તેમને રામ કે કૃષ્ણ બનાવીને જીવનનું ગૌરવ શીખવો.