Bagasara,
બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી મળતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તા.૩૧મીએ શહેર બંધનુ એલાન આપ્યુ છે. જા કે મામુલી વેરો વધારવો પડે તેવી સ્થિતિ હોવાનુ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. બગસરામાં જુદા-જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે રૂ.૭૦૦નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સે વેરા વધારાના વિરોધમાં તા.૩૧મીએ બગસરા બંધનું એલાન આપ્યુ છે. આ અંગે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતુ કે શહેરના વિકાસ માટે અને કર્મચારીઓના પગાર નિયમિત થાય તે માટે વેરો વધારવો જરૂરી છે.તો પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરનું મેઈનટનન્સ દર વર્ષે રૂ.૧ કરોડ છે. ઘરદીઠ પાણી કનેકશન રૂ.રપ૦૦ જેટલુ થાય છે તેની સામે માત્ર પાણી વેરો રૂ.૯૦૦ કરાયો છે. સ્ટ્રીટલાઈટનો વેરો માત્ર રૂ.પ૦ કરવામાં આવ્યો છે. જયારે સફાઈના રૂ.૧૦૦ કરવામાં આવ્યા છે. શહેરીજનોને એકાંતરા બે કલાક કરતા વધારે સમય પાણી વિતરણ કરવામાં આવે છે. આ તમામ ખર્ચાઓને ધ્યાને લઈ ૧૦ વર્ષ બાદ પાણી વેરો વધારવામાં આવ્યો છે ત્યારે શહેરીજનોને ે તમામ અફવાઓથી દુર રહેવા અને વિકાસના કામમાં સહાકાર આપવા પાલિકા પ્રમુખે અંતમાં અનુરોધ કર્યો હતો.