Bagsara,તા.11
બગસરામાં સનાતન મહિલા ગ્રુપ દ્વારા આયોજિત માઁ-દિકરી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. માત્ર માતા-દિકરી વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનું લક્ષ્યની સાથે રાખીને, આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ અને સમાજમાં પ્રવર્તતી કેટલીક સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા-દિકરીઓએ ભાગ લીધો હતો. તેમણે એકબીજા સાથે સમય વિતાવી, વાતચીત કરી અને ખાસ કરીને પારકી પંચાયત જેવા સંવેદનશીલ વિષય પર ચર્ચા કરી હતી. આ વિષય પર વકીલ નિકિતાબેન પંડયાએ મહિલાઓને જાગૃત કરીને તેમને સ્વરક્ષણ જેવા પાસાઓ વિશે માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં બગસરાની કેટલીક પ્રતિભાશાળી દીકરીઓએ પોતાના અનુભવો વાગોળ્યા હતા.તેમણે કઈ રીતે સફળતા મેળવી તેવી વાતો કરીને અન્ય મહીલાઓને પ્રેરણા આપી હતી. સનાતન મહિલા ગ્રુપ અને સનાતન ગ્રુપના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.