અયોધ્યા ચોક નજીક અગાઉ કરેલી અરજીનો ખાર રાખી યુવકને મારમાર્યો તો
Rajkot,તા.24
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક અગાઉ કરેલી અરજીનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બે ભાઈની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. વધુ વિગત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુર નજીક પૃથ્વી સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા પ્રકાશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નામના યુવાનો પર ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકા નગરમાં રહેતા મનીષ બાબુ ધામેચા, અમિત બાબુ ધામેચા, ચિરાગ બાપુ ધામેચા અને મીત મનીષભાઈ ધામેચાએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક પૂછપરછ માં પ્રકાશ ઉર્ફે પીન્ટુએ અગાઉ આરોપી વિરુદ્ધ કરેલી અરજીનો ખાર રાખી હુમલો કર્યાનું ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી મનીષ બાબુ ધામેચા અને મીત મનીષ ધામેચા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ વાલે કર્યા હતા હાલે રહેલા મનીષ ધામેચા અને તેનો ભાઈ ચિરાગ ધામેચાએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ભચાઉ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ જજે બન્ને ભાઈની જામીન અરજી મંજૂર કરી છે. આ કામમાં આરોપીઓ વતી સૌ રાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા , હર્ષ રોહીતભાઈ ઘયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયેલ હતા.