Rajkot,તા.19
મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આ દાદા સૌ ભકતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે , ત્યારે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને સૂર્યમુખી પુષ્પોના દિવ્ય મનમહોક અને અલૌકિક શણગાર કરવામાં આવ્યા છે .
જેના દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી છે .આજે 50 હજાર થી પણ વધારે ભક્તો દાદાના દર્શને પધારશે , દાદાની રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો દિવ્ય લાભ લેશે.
સાથે મંદિરના મહંત કોઠારી પૂ.વિવેકસાગરદાસજી સ્વામી અને પૂ.મુનિવત્સલ દાસજી સ્વામીની અધ્યક્ષતામાં આજે સંગીતમય મારૂતિ યજ્ઞ યોજાયો હતો , જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા,શનિવારના પવિત્ર દિવસે પરિવાર સાથે દાદાના દર્શન આરતીનો અલભ્ય લાભ લેવા શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.