Dhaka,તા.17
1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાનના સૈન્ય સામે જબરૂ યુદ્ધ લડીને એક સમયના પુર્વ પાકિસ્તાનને આઝાદ દેશ તરીકે અસ્તિત્વ આપવામાં ભારતીય સૈન્યના હજારો જવાનોએ શહીદી વહોરી લીધી. લાખો બાંગ્લાદેશમાં ભારતમાં શરણાર્થી બનીને રહ્યા અને આજે તે એક ‘તાસૂર’ બની ગયા છે.
આમ છતાં ભારતના તમામ ઉપકાર ભુલી બાંગ્લાદેશ 16 ડિસેમ્બરના ‘વિજય-દિન’ તરીકે ભારત જે ઉજવણી કરે છે તેની સામે વાંધો લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક પોષ્ટમાં બાંગ્લાદેશના સર્જનમાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરીને તેના માટે બલિદાન આપનાર તમામને સલામી આપી તેની સામે બાંગ્લાદેશી વચગાળાની સરકારના કાનૂની સલાહકાર આસીફ નઝરૂલ એ આકરો વિરોધ કરતા જણાવ્યું કે ભારત આ વિજય દિવસ મનાવે તેમાં હું વિરોધ કરૂ છું.
ભારત આ મુક્તિ સંગ્રામમાં ફકત એક સાથી હતું તેનાથી વિશેષ કશુ નહી. તેઓએ પોતાના ફેસબુક પેજ પર વડાપ્રધાન મોદીની એકસ પરની પોષ્ટનો સ્ક્રીન શોટ મુકીને પોતાની પોષ્ટ મુકી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન અને જે રીતે વચગાળાની સરકાર જેવુ નેતૃત્વ નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસ કરે છે.
તે સતામાં આવ્યા બાદ સતત ભારત વિરોધી વલણ અપનાવી રહ્યું છે અને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની હત્યા થાય છે. તેમના આવાસો લુંટાય છે પણ મંદિરો તોડાય છે તે વચ્ચે ભારત હજું ‘સંયમ’ રાખીને કામ લઈ રહ્યું છે પણ હવે જેના અસ્તિત્વ માટે દેશના સૈનિકોએ બલિદાન આપ્યા અને ભારતે આર્થિક ખુવારી પણ વેરી તે પછી આ વલણ મોદી સરકારને આંચકો આપી ગઈ છે.