બેંકના કોન્ટ્રાક્ટ મહિલા કર્મચારીનું મૃત્યુ નીપજતા રકમ મેળવવા પતિએ ગ્રેજ્યુટી નિયંત્રણ કરેલી માંગ મંજૂર કરી
Rajkot,તા.17
સર્વિસ કોન્ટ્રાકટ આધારીત નોકરી કરતા બેંક લી. ના કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ ચુકવવા અંગે મહત્વનો ચુકાદો નિયંત્રણ અધિકારીએ આપેલ હતો.
આ કેસની ટુંકમાં હકિકત એવા પ્રકારની છે કે, કો. ઓપ. બેંક લી. માં ઝરણાબેન ઓઝા આસિસ્ટન્ટ ઓફીસર તરીકે તા. ૦૧/૦૩/૨૦૧૭ થી નોકરી કરતા હતા. જેમનું તા. ૦૮/૦૧/૨૦૨૪ ના રોજ અવસાન થયેલ હતું. આથી, તેમના પતિ નિમીષભાઈ ઓઝાએ ગ્રેચ્યુટીની રકમ મેળવવા માટે બેંક સમક્ષ રજુઆત કરેલ હતી. પરંતુ બેંક ધ્વારા એવો જવાબ આપવામાં આવેલ કે, ગુજ, ઝરણાબેન સર્વિસ કોન્ટ્રાકટ મુજબ સેલ્ફ એન્ડ ઈન્ડીપેન્ડન્ટ કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતા હતા. જેથી આ કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ મળવાપાત્ર નથી..આથી, નિમિષભાઈ ઓઝાએ ધારાશાસ્ત્રી જી. આર. ઠાકર ઘ્વારા ચુકવણી અધિનિયમ, ૧૯૭૨ હેઠળના નિયંત્રણ અધિકારી સમક્ષ ગ્રેચ્યુટી અરજી કરેલ હતી અને એવી રજુઆત કરેલ હતી કે, ગુજ. ઝરણાબેન ઓઝા અને બેંક વચ્ચે જે સર્વિસ કોન્ટ્રાકટ થતો હતો તે પુરો થતા નવો કોન્ટ્રાકટ કરવામાં આવતો હતો. આમ, ગુજ. ઝરણાબેનએ ૬ વર્ષ ૧૦ માસ અને ૮ દિવસની જે નોકરી કરેલ હતી તે તમામ નોકરી સળંગ નોકરી ગણવા રજુઆત કરેલ હતી અને ગુજરનારનું પ્રોવીડન્ટ ફંડ પણ કપાત થતું હતું.અરજદાર તરફે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તથા જુબાની અને એડવોકેટ ગાર્ગીબેન જી. ઠાકરની દલીલને ધ્યાને લઈ નિયંત્રણ અધિકારીaએ ગુજ. ઝરણાબેનની સળંગ નોકરી ઠરાવી ગ્રેચ્યુટીની રકમ રૂા. ૧,૦૦,૯૬૨/- પુરા ૧૦% ના વ્યાજ સાથે અરજદાર નિમીષભાઈને ચુકવી આપવા અંગે કો. ઓપ. બેંક લી. વિરૂધ્ધ હુકમ ફરમાવેલ છે. કામમાં અરજદાર તરફે રાજકોટના એડવોકેટ જી. આર. ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર , મિલન દુધાત્રા , કૃપાલ ઠાકર , જીંકલ પટેલ અને એ. જી. ઠાકર રોકાયેલ હતા.