Bengaluru, તા. 9
આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિજય બાદ યોજાયેલી પરેડમાં જે રીતે ધકકામૂકકી થઇ અને 11થી વધુ લોકોના મૃત્યુ થયા તે બાદ હવે રાજય સરકાર માટે બચાવ કરવો મુશ્કેલ બની ગયો છે અને મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ આ ઘટનામાં પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળવા પ્રયત્ન કરતા જ કોંગ્રેસમાં પણ જબરો વિરોધ થયો છે.
મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ કહ્યું કે, મને પોલીસ તરફથી ખાતરી મળ્યા બાદ જ આ પરેડ માટે મંજૂરી અપાઇ હતી તેઓએ જણાવ્યું કે, પોલીસ કમિશ્નર પી.દયાનંદે સમગ્ર ઘટના બન્યા બાદ બે કલાક બાદ મને જાણ કરી હતી. એક તરફ ભાજપે આ મુદે કર્ણાટક સરકાર પર દબાણ વધારી દીધુ છે અને કોંગ્રેસ સરકારને બરતરફ કરવાની માંગણી કરી છે.
પરંતુ સિધ્ધરમૈયાએ બચાવ કરતા કહ્યું કે સરકારે ખોટુ કંઇ કર્યુ નથી. તેઓએ મહાકુંભ સમયે થયેલી ભાગદોડ અને જે રીતે 30થી વધુ લોકોના મોત થયા હતા. તે સમયે કોઇએ રાજીનામુ આપ્યું હતું તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એ પણ કહ્યું કે, બપોરે 3.50 કલાકે હોસ્પિટલમાં મૃતદેહો પહોંચ્યા હતા પરંતુ બેંગ્લોરના પોલીસ કમિશ્નરે મને જાણ કરવાની પણ ચિંતા કરી ન હતી.
આ ઘટનાના પગલે પોલીસ કમિશ્નર ઉપરાંત મુખ્યમંત્રીના રાષ્ટ્રીય સલાહકાર ગોવિંદ રાજુ અને એડીશ્નલ ડીજીપી હેમંત લીંબાકરને પણ હોદા પરથી દુર કરવામાં આવ્યા છે. જોકે ભાજપે હજુ સુધી આ મુદે સિધ્ધરમૈયાને કલીનચીટ આપવાનો ઇન્કાર કર્યો છે.
જણાવ્યું હતું કે, સરકારે જવાબદારી લેવી જોઇએ. બીજી તરફ પોલીસે રાજય સરકારને અગાઉ જ એવી જાણ કરી હતી કે બેંગ્લુરૂમાં 3 થી 4 લાખ ક્રિકેટ ચાહકો ઉમટશે તેવી શકયતા હતી. તે રાજય સરકારને અગાઉથી જાણ કરાઇ હતી.