Bhavnagar, તા.16
ભાવનગર શહેરમાં ઝુપડપટ્ટીમાં રહેતા પછાત બાળકોને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર કેળવણી આપવા સાથે સંસ્કારનું સિંચન કરતી વંચિતોના વાણોતર સંસ્થા સામાન્ય બીજમાંથી વટવૃક્ષ બની છે. આ સંસ્થાના સંચાલિકા પ્રજ્ઞાબેન ગાંધી ના જણાવ્યા મુજબ ઝુપડપટ્ટી ના ગરીબ બાળકોના જીવનમાં થોડું શિક્ષણ આવે તો તેમના જીવન ધોરણમાં પણ થોડો સુધારો આવી શકે તેવા હેતુસર શિક્ષણ આપવાનું ચાલુ કર્યું હતું અને પછી મને પ્રોત્સાહન મળતા સેવાનો યજ્ઞ ચાલતો રહ્યો.
અત્યારે 2 વિદ્યાર્થીઓ આ સંસ્થામાં ભણીને એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે.25 વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયર થયા છે.48 દીકરીઓના લગ્ન પણ થઈ ગયા છે.પ્રજ્ઞાબેન ગાંધીને રાજ્યપાલ દ્વારા નારી વંદના એવોર્ડ મળેલો છે એ સિવાયના અન્ય 50 સન્માન પણ આ વંચિતોના વાણોતર સંસ્થા માટે પ્રાપ્ત થયા છે.