Bhavnagar, તા.16
શ્રી શેત્રુંજય ગીરીરાજ ની પવિત્ર છાયામાં પૂજ્ય આચાર્ય ભગવંતો અને પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં સામૂહિક ઉજવણી અંતર્ગત આસો સુદ ચૌદશને બુધવાર તા. 16- 10 -24 ના રોજ સવારે પાલીતાણામાં તળેટી રોડ પર આવેલ નંદપ્રભા તથા સલોત ભવન શ્રી રામચંદ્ર સુરી જી આરાધના ભવન થી 8:15 કલાકે મોટી સંખ્યામાં વધારે મુમુક્ષુઓની વષીદાન યાત્રા નીકળશે.
વર્ષીદાન યાત્રા પૂર્ણ થયા બાદ જાલોરી ભવનમાં સુરીરામ શ્રી વ્યાખ્યાન વાસસ્પતિ મંડપમાં પૂજ્ય શ્રી હિત શિક્ષા ફરમાવશે ત્યારબાદ શ્રી જયંતીલાલ દાનસુગ ભાઈ અજબાણી તથા શ્રી નગીનદાસ કકલદાસ અજબાણી પરિવાર દ્વારા મુમુક્ષુઓનુ બહુમાન કરાશે તથા રાત્રે 8:30 કલાકે નંદપ્રભામાં બહુમાન સમારોહ યોજાશે.
આસો સુદ પૂનમ ગુરુવાર તા. 17- 10- 24 ના રોજ ચતુર્વિધ શ્રી સંધ સાથે સામૂહિક તળેટી સ્પર્શના ગીરીરાજ ની સ્પર્શના નવટુક પરિસરમાં આવેલ પાંચ પાંડવ મંદિરે સામૂહિક જુહારવા દર્શન વંદન આંગી થશે અનુકૂળતાએ બપોરે પ્રવચન થશે તો સકલ સંઘને પધારવા આમંત્રણ પાઠવાયુ છે.