Bihar,તા.17
બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા છે.
આમ અત્યાર સુધી 28 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હજુ પણ બીમાર છે. તેમાંથી મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે કેટલાક લોકોની સારવાર છપરામાં ચાલી રહી છે. જ્યારે કેટલાકને પટના રિફર કરવામાં આવ્યા છે.
છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, ’આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાતાકીય કાર્યવાહીના ભાગરૂપે મશરક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને મશરક વિસ્તારના અકઝઋ ઈન્ચાર્જ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.’
જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભગવાનપુર પોલીસ સ્ટેશન અને ભગવાનપુર પોલીસ સ્ટેશનના અજઈં સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’
વિપક્ષે ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મૃત્યુને લઈને રાજ્ય સરકાર પર પ્રહોરો કર્યો હતો. આરજેડી નેતા મૃત્યુંજય તિવારીનું જણાવ્યું હતું કે, ’ઝેરી દારૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ખૂબ જ દુ:ખદ અને ચિંતાની વાત છે કે દારૂબંધીનો કાયદો હોવા છતાં બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવે છે, કેવી રીતે લોકો ઝેરી દારૂના કારણે મૃત્યુ પામે છે.’
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ આરોપ લગાવ્યો કે, ’દારૂ માફિયાઓને સરકારનું રક્ષણ છે અને જ્યાં સુધી તેમને સરકારનું રક્ષણ છે. દારૂબંધી અમલમાં છે પરંતુ દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે. એનડીએ સરકારને આની ચિંતા નથી.’