Rajkot,
રાજકોટમાં મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. શુક્રવારે (28 ફેબ્રુઆરી) રાત્રે એક બાઇક ચાલક પાલિકાની બેદરકારીના કારણે થાંભલે અથડાયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હકીકતમાં શહેરના કેવડાવાડી વિસ્તારમાં 10 મીટરની અંદર બે સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાના કારણે તે રાત્રે ન દેખાયા નહીં અને 15 વર્ષનો સગીર અને તેનો પિતરાઈ ભાઈ સીધા થાંભલે અથડાયા. આ દરમિયાન સગીરનું ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.રાજકોટ શહેર કેવડાવાડી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલિકાના સ્પીડબ્રેકરે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. કેશિયો પાર્ટી વગાડી રાત્રે પરત ફરેલા બાઇક સવાર બે પિતરાઈ ભાઈ ઘરે આવી રહ્યાં હતાં. આ દરમિયાન 10 મીટરના અંદરે બે સ્પીડબ્રેતક હતાં, જેની ઉપર નિયમાનુસાર કોઈ પ્રકારના પટ્ટા દોરવામાં નહતાં આવ્યાં. જેના કારણે અંધારામાં સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક ઉછળીને થાંભલે ભટાકાઈ. જેના કારણે બંને થાંભલે અથડાયા અને સુમિત પરમાર નામના સગીરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને બીજો ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે.
યુવકના મોતથી હાલ પરિવારજનોમાં શોકનો માહોલ છે. આ સિવાય લોકો પાલિકાની કામગીરી પર સવાલ કરી રહ્યાં છે. ટ્રાફિકના નિયમ ન પાલન કરવામાં આવે ત્યારે જે પ્રકારે પ્રજા પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ, આ નિયમોનું તંત્ર દ્વારા પાલન ન થાય અને પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવવો પડે તો તેની ભરપાઈ કોણ કરશે?