Morbi તા.૧૪
માત્ર દેશની જ નહિ પરંતુ દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીમાં પણ જુથવાદ જોવા મળતો હોય છે તાજેતરમાં જીલ્લા પંચાયતમાં વિકાસ કામોના લોકાપર્ણની પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી જોવા મળી હતી જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે
મોરબી જીલ્લા પંચાયત દ્વારા ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર અને ભડિયાદ ગામના વિકાસના વિવિધ કામોના ખાતમુર્હત અને લોકાપર્ણનો શનિવારે સમારોહ યોજાયો હતો જેની આમંત્રણ પત્રિકામાં સાંસદ, જીલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ, ધારાસભ્ય ઉપરાંત કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ અને શિક્ષણ સમિતિના ચેરમેનના નામો લખવામાં આવ્યા હતા પરંતુ ચેરમેન અજયભાઈ લોરિયાના નામની બાદબાકી કરવામાં આવી હતી જીલ્લા પંચાયતમાં ભાજપનો જુથવાદ સામે આવ્યો છે અને ચેરમેન અજયભાઈ લોરિયાના નામની બાદબાકી જાણી જોઇને કરવામાં આવી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે
ચેરમેને પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પર આક્ષેપો કર્યા
જીલ્લા પંચાયત કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયાનું નામ કાર્ડમાંથી ગાયબ થવા મુદે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ધારાસભ્ય પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો કાન્તિલાલ અમૃતિયા ૩૦ વર્ષથી ધારાસભ્ય હોવા છતાં મોરબીમાં કોઈ કામ ના કરતા હોવાથી સ્થિતિ કથળી હોવાનું જણાવ્યું હતું વધુમાં અજય લોરિયાએ જીલ્લા પંચાયતમાં જુથવાદ હોવાથી નામ કપાયાનો આક્ષેપ કર્યો હતો ભાજપ સંચાલિત જીલ્લા પંચાયતમાં જુથવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને જુથવાદ મામલે પ્રદેશમાં તેમજ સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું
અજય લોરિયાના આક્ષેપોનો ધારાસભ્યએ જવાબ આપ્યો
આક્ષેપો મામલે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે તેઓ ૩૦ વર્ષથી ધારાસભ્ય પ્રજાના કારણે છે ભાજપમાં કોઈ જુથવાદ નથી બાકી પ્રજાના કામ કરવા માટે દુશ્મની થતી હોય તો ભલે થાય અને પક્ષમાં જુથવાદના આક્ષેપો નકારી કાઢ્યા હતા પ્રજાના કામ તેઓ કરતા રહયા છે અને કરતા રહેશે તેવું જણાવ્યું હતું