Jamnagarતા.૧૯
અમદાવાદમાં ગત ૧૨.૬.૨૦૨૫ ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ દુર્ઘટના નો શિકાર બન્યા હતા, તેઓના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા બાદ બન્નેના પરિવારજનો દ્વારા આજે સવારે મૃતદેહોને જામનગર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિરલ બાગ પાસે આવેલા શૈલેષભાઈ પરમાર ના નિવાસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી, ત્યારે ભારે ગમગીની છવાઈ હતી, અને પરમાર પરિવાર અને બક્ષી પરિવારમાં અશ્રુઓનો દરિયો છલકાયો હતો.
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડન માં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. અને બનાવના દિવસે એટલેકે ૧૨.૬.૨૦૨૫ ના પરોઢિયે જ જામનગર થી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ એ હવાઈ મુસાફરી બપોરે દોઢ વાગ્યે શરૂ કરી હતી. પરંતુ કમનસીબે થોડી મિનિટો માં જ આ વિમાન ક્રેશ થયુ હતુ જેમાં એક મુસાફર સિવાય તમામ લોકો ના મૃત્યુ થયા હતા.
શૈલેષભાઈ અને નેહલબેન કે જે બંનેના પરિવારો જામનગરમાં રહે છે, તેઓના પરિવારના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. જે ગઈકાલે મેચ થઈ ગયા બાદ બંનેના મૃતદેહોને આજે વહેલી સવારે જામનગર લાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ વિરલબાગ પાસે આવેલા શૈલેષભાઈ પરમારના નિવાસ્થાને બંનેની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં બક્ષી પરિવાર અને પરમાર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો, અને ભારે ગમગીની છવાઈ હતી.
આજે સવારે ૧૧.૦૦ વાગ્યે બંનેની અંતિમયાત્રા એકી સાથે નીકળી હતી, અને જામનગરના આદર્શ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી, જેમાં બંનેના પરિવાર ઉપરાંત જામનગરના કેટલાક અગ્રણીઓ વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
રાજ્ય સરકાર ની ગાઈડ લાઇન મુજબ પરમાર પરિવારના નિવાસ્થાને મૃતદેહો ને લાવવામાં આવ્યા ત્યારથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો, અને મામલતદાર કચેરી ની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી.