New Delhi તા.18
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની દુર્ઘટના બાદ બોઈંગ ડ્રીમલાઈનર વિમાનોની 66 ઉડાનો અત્યાર સુધીમાં રદ કરાઈ છે. તા.12થી17 જૂન દરમિયાન 66 જેટલી ઉડાનો રદ કરાઈ હતી.
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ડીજીસીએ દ્વારા સુરક્ષા અને ટેકનીકલ તપાસનો નિર્દેશ આપ્યો છે. જેના કારણે ટેકનિકલ તપાસ પ્રક્રિયા લાંબી ચાલવાના કારણે ઉડાનોને રદ કરવામાં આવી હતી. મંગળવારે ડીજીસીએએ મેસર્સ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એકસપ્રેસ વે ના અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.
જેમાં એર ઈન્ડિયા વિમાનોમાં આવી રહેલી ટેકનીકલ ખરાબી અને અત્યાર સુધી ડ્રીમલાઈનર વિમાનોની ટેકનીકલ તપાસ સાથે જોડાયેલ પ્રગતિ રિપોર્ટ પર ચર્ચા થઈ હતી.
ડીજીસીએએ કહ્યું હતું કે એર ઈન્ડિયા બોઈંગ 787 બેડેની દેખરેખમાં કોઈ મોટી સુરક્ષાની ચિંતા સ્પષ્ટ નથી થઈ. બેઠકમાં બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની અત્યાર સુધીની ટેકનીકલ તપાસ સાથે જોડાયેલ રિપોર્ટ માંગ્યો છે. ડીજીસીએએ બન્ને કંપનીઓના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ઉડાન પહેલા દરેક વિમાનની ટેકનીકલ તપાસ કરવામાં આવે.
ઈન્ડોનેશિયાનું વિમાન ઉતર્યુ: ખરાબ હવામાન અને ઈંધણ ઓછું જોઈને ઈન્ડોનેશિયાથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાને મંગળવારે સાંજે બાબતપુર એરપોર્ટે ઉતારાયુ હતું.
કોલકાતા એરપોર્ટ પર અંધાધુંધી: એર ઈન્ડિયાએ મંગળવારે દિલ્હીથી પેરિસ જતી ફલાઈટ રદ કરી દીધી હતી. ઉડાન પહેલા અનિવાર્ય તપાસમાં કોઈ પ્રકારની મુશ્કેલી બહાર આવી હતી, જેનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. હવે આજે બુધવારે પેરિસથી દિલ્હી જનારી ફલાઈટને પણ રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત સાન ફ્રાન્સીસ્કોથી મુંબઈની એર ઈન્ડિયાની ઉડાનને એક એન્જીનમાં ટેકનીકલ ખરાબી થવાથી મંગળવારે સવારે કોલકતામાં અગાઉથી નકકી સ્ટોપ પર ટર્મિનેટ કરી દેવામાં આવી હતી. જેના કારણે એરપોર્ટ પર અંધાધુંધી સર્જાઈ ગઈ. જયારે દિલ્હીથી પુના જઈ રહેલી સાંસદ સુપ્રિયા શુલેએ ટવીટ કર્યું કે એર ઈન્ડિયાની ઉડાન 3 કલાક મોડી થઈ હતી.
મંગળવારે જ એર ઈન્ડિયાની 6 ફલાઈટ ગઈકાલે કેન્સલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદની વિમાન દુર્ઘટનાને કારણે બોઈંગની 6 જેટલી એરક્રાફટમાં રદ કરવી પડી હતી.
આ રદ થયેલી ફલાઈટોમાં એઆઈ-દિલ્હી-દુબઈ, એઆઈ દિલ્હી-વિયેના, એઆઈ (અમદાવાદ-લંડન) એઆઈ લંડન-અમૃતસર અને એઆઈ બેંગ્લુરુ લંડન ફલાઈટ રદ કરવી પડી હતી. આ ઉપરાંત ટેકનીકલ પ્રોબ્લેમના કારણે એઆઈની ડ્રીમલાઈનર દિલ્હીથી હોંગકોંગ ગયા વિના દિલ્હી પાછી ફરી હતી.