Jamnagar,તા ૧૦
જામનગરમાં કાલાવડનાકા બહાર કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં સ્કૂટર સવાર વેપારી પિતા પુત્ર ઘાયલ થયા છે. જે બનાવ અંગે કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં કાલાવડનાકા બહાર ગુરુદત્ત સોસાયટીમાં રહેતા સુનિલ અમૃતલાલ નામના વેપારી પોતાના પિતા અમૃતલાલ નકુમને સ્કૂટર માં પાછળ બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન કલ્યાણ ચોક પાસે ફૂલ સ્પીડે આવી રહેલી એક કાર ના ચાલકે સ્કુટરને હડફેટમાં લઈ લેતાં પિતા પુત્ર બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
આ અકસ્માત ના બનાવ અંગે સુનિલભાઈ નકુમે કારના ચાલક અલી હુસેન મોહમ્મદભાઈ મકાતી સામે અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવી છે.