Rajkot,તા.07
શહેરના મોરબી રોડ જકાત નાકા પાસે આવેલ પાનની દુકાનના થડા ઉપર બેસવા બાબતે 52 મહિના પહેલા છરીના ધા ઝીકી હત્યાની કોશિશ કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી વેપારી પિન્ટુ મકવાણા ને 10 વર્ષની કેદ અને 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા મેરુ માધાભાઈ શિયાળ નામના યુવાનને મોરબી રોડ જકાતનાકા પાસે પાનની દુકાનના વેપારી પીન્ટુ ધીરુભાઈ મકવાણા નામના શખ્સે છરીના ધા જીવલેણ હુમલો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે પીન્ટુ ધીરુ મકવાણા સામે હત્યાની કોશિશ ની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું આ કેસના સાહેદોની જુબાની દરમ્યાન આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, સાહેદોની જુબાનીમાં ગંભીર વિસંગતતાઓ છે. આરોપી પાસે રહેલ છરી કોઈ આકસ્મીક રીતે ઈજા પામનારને લાગી ગયેલ હતી જેથી આ બનાવ બનેલ છે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરા એ દલીલ કરતા જણાવેલ હતુ કે, આરોપી તરફે લેવામાં આવેલ બચાવ હાસ્યાસ્પદ છે. આકસ્મીક રીતે છરી વાગે તો ઈજા પામનારના શરીર ઉપર ફકત એક ઈજા હોય પરંતુ ૪ જુદા જુદા સ્થાનો ઉપર ગંભીર ઈજાઓ થયેલ છે જે કોઈપણ દુષ્ટીકોણથી આકસ્મીક ન હોય શકે. સરકાર તરફેની આ દલીલોના અંતે અધિક સેશન્સ જજ પી.જે.તમાકુવાલા આરોપી પિન્ટુ ધીરુભાઈ મકવાણા, ઉ.વ.૨૮ નાઓને ૧૦-વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦નો દંડ ફરમાવેલ છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ વોરા રોકાયેલા હતા.