Morbi,તા.18
મોરબીમાં વેપારીએ ઊંચા વ્યાજે રૂપિયા ૧૫ લાખ લીધા હતા જેને બદલે ૧૮.૫૨ લાખની રકમ ચૂકવ્યા છતાં વ્યાજખોર ઇસમ દ્વારા વધુ દસ લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વિશ્વકર્મા પાર્કમાં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કંધનાણી નામના વેપારી યુવાને આરોપી ચિરાગ ઉર્ફે જીગાભાઈ વિનોદભાઈ ખખ્ખર રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પૂર્વે ધંધામાં રૂપિયાની જરૂરત હોવાથી નવાડેલા રોડ પર મહાવીર ટ્રેડીંગ વાળા ચિરાગ ખખ્ખર પાસેથી રૂપિયા ૫ લાખ વ્યાજે લીધા હતા જેનું રોજનું રૂપિયા ૫૦૦૦ લેખે રૂપિયા ૬ લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા અને ફરી ધંધામાં જરૂરત પડતા ચિરાગ પાસેથી રૂપિયા ૫ લાખ વ્યાજે લીધા જેનું રોજનું રૂપિયા ૨૩૦૦ લેખે રૂપિયા ૬,૧૧,૮૦૦ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા દરરોજના વ્યાજના રૂપિયા ચિરાગના કહેવાથી મહેશભાઈ સીટીઝન બેંક વાળા તેની પાસેથી લઇ જતા હતા બાદમાં તા. ૦૬-૦૮-૨૦૨૪ ના રોજ ફરી રૂપિયાની જરૂરત પડતા ચિરાગ પાસેથી રૂ ૫ લાખ લીધા જેનું દર મહીને રૂપિયા ૩૦,૦૦૦ લેખે ચાર મહિના સુધી વ્યાજ બળજબરીપૂર્વક લીધું હતું અને બાદમાં વ્યાજ ચૂકવી શક્યો ના હતો ચિરાગ સાથે વ્યાજે લીધેલ રકમ બાબતે ઘરમેળે સમાધાન થઇ જતા ગત તા. ૧૭-૦૧-૨૦૨૫ ના રોજ નોટરી લખાણ કરી રૂપિયા ૫,૨૧,૦૦૦ રોકડા ચૂકવી દીધા હતા
બાદમાં તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ સવારના ચામુંડા ટ્રેડીંગ વાળા સુરેશભાઈએ પોતાની દુકાને સમાધાન માટે બોલાવ્યો ત્યાં ચિરાગ હાજર હતો અને સુરેશભાઈની હાજરીમાં ચિરાગે તું મને દશ લાખ રૂપિયા આપી દે નહીતર તને બે દિવસમાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આમ આરોપી ચિરાગ ખખ્ખર પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૧૫ લાખ લાખ વ્યાજે લીધા હતા જેને બદલે કુલ વ્યાજ સહીત ૧૮,૫૨,૮૦૦ ચૂકવી આપ્યા હતા છતાં વધુ રૂપિયા ૧૦ લાખની માંગણી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોન્ધીવ છે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે