૬૦ દિવસમાં બે લાખનું વળતર ન ચૂકવે તો વધુ જેલનો હુકમ
Rajkot,તા.09
શહેરમાં હનુમાઢી પાસે રહેતા વેપારીને રૂા.૩ લાખના ચેક રીર્ટન કેસમાં કોર્ટે એક વર્ષની સાદી કેદ અને રૂ.૩ લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં હનુમાઢી પાસે રહેતા વેપારી સાહીલ પ્રફુલભાઇ તન્નાના પિતા ઉપર દેવું થઇ ગયું હોવાથી સંત કબીર રોડ ઉપર રહેતા વેપારી પવન ધીરૂભાઈ ચાવડા પાસેથી મિત્રતાનાં દાવે રૂા. ૨.૮૫ લાખ હાથ ઉછીનાં લીધા હતા. જે રૂપિયની ચુકવણી માટે સાહીલ તન્નાએ રૂા. ૨.૮૫ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક વગર વસુલાતે પરત ફરતા પાઠવેલી નોટીસ બજી જવા છતાં રૂપિયા નહિ ચૂકવતા પવન ચાવડાએ મિત્ર સાહીલ તન્ના વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.૩ લાખ ૬૦ દિવસમાં વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી વકીલ કેતન સિંધવા અને પંકજ આર. દોંગા રોકાયા હતા.