બાલાજીભવાની ફરસાણ ની દુકાનમાં ગઠિયો કળા કરી ગયો
Rajkot,તા.24
રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ મથક હદમાં ગુરુ પ્રસાદ ચોકમાં ફરસાણની દુકાનના વેપારીની નજર ચૂકવી 5000 રૂપિયા થડામાંથી બઠાવી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગત મુજબ ગુરુ પ્રસાદ ચોક સીતારામ ડેરી સામે આવેલી બાલાજી ભવાની ફરસાણ દુકાનમાં વેપારી વિશાલભાઈ નીતિનભાઈ ચંદા રાણા રહેવાસી ગોકુલધામ સોસાયટી વાળા એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે 23 માર સાંજે છ વાગ્યે પોતે દુકાને બેઠા હતા ત્યારે અજાણ્યો ગ્રાહક બનીને લાવ્યો હતો અને વિશાલભાઈ ને દુકાનમાંથી મીઠાઈ કરતા લાવવાનું કહેતા વેપારી માલ લેવા દુકાનમાં ગયા ત્યારે નજર ચૂકવી અજાણ્યા શકશે થડામાંથી 5000 રૂપિયા ની ચલણી નોટો ચોરી લીધી હતી આગે માલવિયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઇ આરડી ગોહિલ એ તપાસ હાથ ધરી છે