ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે
- 01 નવેમ્બર નું પંચાંગ
- 01 નવેમ્બર નું રાશિફળ
- PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા
- Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા
- મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી
- ભારતીય મહિલા ટીમની બેટ્સમેન Jemimah Rodriguesસોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી
- કરીનાથી લઈને સુનિલ શેટ્ટી સુધી, બધાએ ભારતીય ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બદલ ઉજવણી કરી

