New Delhi,તા.4
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, કોઈને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવુ ભલે ખોટું હોય પણ તે કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા જેવો અપરાધ નથી.
જસ્ટીસ બીવી નાગરત્ના અને સતીષચંદ્ર શર્માની પીઠે એક સરકારી કર્મચારીને ‘પાકિસ્તાની’ કહેવાતા આરોપી ભક્તિ સામે કેસ બંધ કરતા આ ટિપ્પણી કરી હતી.
આ ફરિયાદ ઝારખંડના એક ઉર્દૂ અનુવાદક અને એક કાર્યવાહક કલાર્કે નોંધાવી હતી. ફરિયાદીના અનુસાર જયારે તે માહિતીના અધિકાર (આરટીઆઈ) આવેદનના બારામાં જાણકારી આપવા માટે આરોપીને મળવા ગયા તો આરોપીએ તેના ધર્મનો હવાલો આપીને તેની સાથે દુવ્યવહાર થયો હતો. જેને લઈને ફરિયાદીએ ફરિયાદ કરી હતી.
આ સંદર્ભમાં સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવીને કહ્યું હતું. આરોપીએ કોઈ એવુ કાર્ય નથી કર્યું જેથી શાંતિ ભંગ થાય. સ્પષ્ટ રીતે કોઈ હુમલા કે બળનો ઉપયોગ નથી કર્યો, જેથી શાંતિ ભંગ થાય.